SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮: જ્ઞાનગોષ્ઠી હે જીવ! તું જ તારું તીર્થ છો ત્યાં આરૂઢ થા, બીજા તીર્થે ન જા!....ન જા! વ્યવહાર નિષેધ્ય છે ને ! તેથી અહીં યોગીન્દ્રદેવ સ્પષ્ટ કરે છે કે અમેદશિખર આદિ તીર્થો છે તે પરતીર્થ છે, ત્યાં ન જા! તેના લક્ષે તને શુભરાગ થશે. તું તારા પરમ તીર્થ-સ્વરૂપ આત્મામાં આરૂઢ થા. તેનાથી તને નિર્વિકલ્પ આનંદનો અનુભવ થશે. બીજા ગુરુની સેવા ન કર. તેના લક્ષ રાગ થશે. તું તારા પરમાર્થ ગુરુની સેવા કરી તેનાથી તને આનંદની પ્રાપ્તિ થશે. દેવની સેવા ન કર. બીજા દેવ, અરિહંત સિદ્ધનું ધ્યાન ન કર. ભાઈ ! તેના લક્ષ શુભ વિકલ્પ થશે ને પુણ્ય-બંધન થશે. તું તારા આત્મદેવનું ધ્યાન કર જેથી તને આનંદના નાથનો ભેટો થશે. તું તારા પરમ દેવ-ગુરુ ને તીર્થની સમીપ જા. આમ કહીને રાગના કારણભૂત વ્યવહાર દેવ-ગુરુ-તીર્થનું લક્ષ છોડાવી આનંદના કારણભૂત પરમાર્થ દેવ-ગુરુ-તીર્થનું લક્ષ કરાવ્યું છે. ૯૦. અહો! આચાર્યદવે તો ત્યાં સુધી કહ્યું કે હે જીવ! તું તીર્થે જઈશ નહિ, ગુરુની સેવા કરીશ નહિ, દેવની સેવા કરીશ નહિ. અહીં શુભ છોડીને અશુભમાં જવાનું કહ્યું નથી પણ શુભની રુચિ છોડાવી છે. નીચલી અવસ્થામાં શુભ નહિ છૂટે પણ શુભની રુચિ છોડાવી છે. ૯૧. વસ્તુસ્વભાવને ઉલ્લાસ અને મહિમાપૂર્વક વિચારતાં વિચારતાં એ જ્યાં જ્ઞાનસ્વભાવના ઊંડા માહાભ્યમાં જાય છે ત્યાં એને આત્માનો અનુભવ થાય છે. ૯૨. દેહ-ધન-કુટુંબ આબરું આદિના અશુભ કોલાહલમાં રોકાયો છે તેની તો શું વાત! પણ જે શુભના કોલાહલમાં રોકાઈ ગયો છે તેને આચાર્યદવ કહે છે કે ભાઈ ! એ શુભના કોલાહલથી પણ વિરક્ત થા, ને છ માસ નિશ્ચલ થઈ આત્માનો અભ્યાસ કર. ધ્રુવ શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદની સન્મુખ એકાગ્રતાનો અભ્યાસ કર. તો જરૂર આત્મપ્રાપ્તિ થશે જ. ૯૩. આત્મા ચેતનાગુણ વડે અંતરંગમાં પ્રકાશમાન છે તેમ સ્વાનુભવથી જાણતાં ભેદજ્ઞાનના બળે સમસ્ત ઝગડાઓ નાશ પામે છે. પુણ્યથી લાભ થાય, નિમિત્તથી લાભ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચય પમાય એવા સમસ્ત ઝગડાઓ ભેદજ્ઞાન થતા નાશ પામે છે. ભદજ્ઞાન થતા ધમી જીવને ખ્યાલ આવી જાય છે કે અન્યના આલંબન વિના સીધો જ મારાથી આત્મા જણાય છે, અન્ય કોઈથી જણાતો નથી. ભગવાનથી કે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy