________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતીઃ ૨૪૭
યરૂપ જાણે છે. દુ:ખરૂપ જાણે છે. ૮૫.
પૈસાવાળાની અમે જે વાત કરીએ છીએ એ તો બીજા પૈસાવાળાનું માન ઉતારવા માટે કરીએ છીએ. બાકી એમાં કાંઈ માલ નથી. કરોડપતિ ને અબજપતિ બધા ભિખારી છે. ૮૬.
નિશ્ચયથી વ્યવહાર અભૂતાર્થ હોવાથી વ્યવહાર નથી એમ નથી, વ્યવહાર છે ખરો પણ તેના આશ્રયે ધર્મ થતો નથી. પર્યાય પર્યાયમાં છે, રાગ-દ્વેષ પર્યાયમાં છે, ગુણભેદ પણ છે ખરા, જો એ પર્યાયને જ દર્શાવવામાં ન આવે તો તીર્થ અને તીર્થફળની પ્રવૃત્તિ પણ રહેતી નથી, તેથી વ્યવહાર છે તેમ દર્શાવવો ન્યાયસંગત છે. ૮૭.
સાચા શ્રવણ આદિનો યોગ હોય, ધારણા-જાણપણું હોય, વિકલ્પથી નિર્ણય કર્યો હોય પણ જેનું પર્યાયનું ઘોલન દ્રવ્ય ઉપર જતું નથી તે સ્વરૂપની લક્ષ્મી વિનાના હોવાથી રાંકો છે-ભિખારી છે. ભલે વ્યવહારથી દેવ-શાસ્ત્ર-ગુરુને માનતો હોય છતાં સ્વરૂપનો આશ્રય લેતો નથી, શરણ લેતો નથી, પોતાની નિધિને સંભાળતો નથી તેથી તેને રંક પુરુષ કહ્યો છે. ૮૮.
પ્રભાકર ભટ્ટ પ્રશ્ન કરે છે કે હે સ્વામીન ! જે જ્ઞાનથી એકક્ષણમાં આત્મા જાણવામાં આવે એ પરમ જ્ઞાનનો અને પ્રકાશ કરો. પૂજા-ભક્તિ, તીર્થયાત્રા, વ્યવહાર-રત્નત્રય આદિના શુભરાગરૂપ વિકલ્પજાળથી શું ફાયદો છે? એ બધું તો અનાદિકાળથી અનંતવાર મેં કર્યું છે, પણ તેનાથી આત્મ-આનંદની પ્રાપ્તિ થઈ નહિ. તેથી હે શ્રીગુરુ! જેનાથી ક્ષણમાત્રમાં આનંદની પ્રાપ્તિ થાય એવા પરમજ્ઞાનનો કૃપા કરીને મને પ્રકાશ કરો. આત્માની આનંદ-લક્ષ્મી શું છે તે મને કૃપા કરીને બતાવો !
શ્રી યોગીન્દ્રદેવ નિજશુદ્ધાત્માનો મહિમા બતાવતાં કહે છે કે નિજશુદ્ધાત્માના ધ્યાનથી ક્ષણમાં (અંતર્મુહૂર્તમાં) મોક્ષ થાય છે. ૧૬ તીર્થકરોને જ્યારે કેવળજ્ઞાન થાય છે ત્યારે કેટલાક જીવો આત્મભાન પામી મુનિ થઈ શ્રેણી માંડી કેવળજ્ઞાન પામી તુરત મક્ષમાં ગયા છે, શુદ્ધાત્માના ધ્યાનનો આવો અપાર મહિમા છે. દેહદેવળમાં વસતા પરમાત્માને તું સ્વસંવેદનશાનથી જાણ-અનુભવ કર. જેણે વીતરાગી અસંવેદન જ્ઞાનથી પોતાના શુદ્ધાત્માને જાણ્યો છે તેણે બધું જાણી લીધું છે. ૮૯.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com