________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતી: ૨૪૩ વીતરાગની પુષ્ટિ કરી છે. ચારે અનુયોગનું તાત્પર્ય પણ વીતરાગતા જ છે. સત્યને ચારે બાજુથી ઉપાડો, સત્ય જ સિદ્ધ થાય છે. સર્વજ્ઞથી ઉપાડો, ક્રમબદ્ધના સિદ્ધાંતથી ઉપાડો, બધી બાજુથી સત્ય જ સિદ્ધ થાય છે. ૬૯
આ સત્યના સંસ્કારવાળો જીવ કદાચિત્ તિર્યંચમાં જાય છે તો ત્યાં પણ દેવગુરુ-શાસ્ત્રના નિમિત્ત વિના પણ સમ્યકત્વ પામે છે. તત્ત્વ વિચારનો મહિમા કરતાં શ્રી ટોડરમલજીએ આ વાત કરી છે કે તત્ત્વ વિચારવાળો દયા-દાન આદિની ક્રિયા વિના પણ તત્ત્વ વિચારના બળે સમકિત પામે છે. ૭૦.
ત્રણલોકના નાથ જિનવરદેવે જે અધ્યાત્મશાસ્ત્રો કહ્યાં છે તેમાં મિથ્યાષ્ટિનો પ્રથમ તો પ્રવેશ જ નથી અથવા પ્રવેશ કરે છે તોપણ વિપરીત સમજે છે, તે જીવ વ્યવહારને સર્વથા છોડીને ભ્રષ્ટ થાય છે અથવા નિશ્ચયને સારી રીતે સમજ્યા વિના, વ્યવહારની ક્રિયાઓથી જ મોક્ષ માને છે. પ્રથમ તો શુભભાવના જ ઠેકાણા ન હોય અને કદાચિત શુભભાવમાં આવે તો શુભભાવથી જ મોક્ષ માને છે. પરમાર્થ સ્વરૂપ ભગવાન આત્માના વિષયમાં મૂઢ રહે છે. ૭૧.
આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે તેને રાગવાળો માનવાથી કાંઈ શુદ્ધચૈતન્યનો નાશ થઈ જતો નથી. જેમ કરોડપતિ માટે કોઈ દીવાળું કાઢયાનું કહ્યું કે તેના ઘરની ભીંતે લખે તેથી કાંઈ તેની મૂડી ચાલી જતી નથી તેમ આત્માને વિકલ્પવાળો માનવાથી શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માનો નાશ થઈ જતો નથી. ભૂલ એક સમયની છે ને ભગવાન તો ત્રિકાળ આનંદ સ્વરૂપે જ છે. ૭૨.
યોગસારમાં કહ્યું છે કે પુષ્ય ને પુણ્ય તો સૌ જાણે છે પણ અનુભવી જ્ઞાની પુણ્યતત્ત્વને પણ પાપતત્ત્વ જાણે છે. જયસેન આચાર્યે પણ સમયસારમાં પાપતત્ત્વના અધિકારમાં વ્યવહાર-રત્નત્રયને પાપ કહ્યું છે. કેમ કે શુભરાગ છે તે સ્વરૂપથી પતિત કરે છે તેથી પુર્ણને પાપ કહ્યું છે, તથા વ્યવહાર પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું છે. શ્રી સમયસારની ગાથા ૩૧માં ઈન્દ્રિય, વિષય અને ક્ષયોપશમજ્ઞાનને પણ ઈન્દ્રિય કહી છે. પદ્મનંદી આચાર્ય શાસ્ત્રમાં રમતી બુદ્ધિને વ્યભિચારી કહી છે. મૂળ નિશ્ચયની વાત જગત સાંભળી નથી. નિશ્ચયની કથની અંતર્મુખ લઈ જવા માટે છે. સ્ત્રી તરફ દેખવું કે પ્રતિમા તરફ દેખવું તે બન્ને પર વિષય હોવાથી તેના તરફ લક્ષ જતાં રાગ થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com