________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતી: ૨૩૩ અપ્રતિહત ભાવે અંતર સ્વરૂપમાં ઢળ્યા તે ઢળ્યા, હવે અમારી શુદ્ધપરિણતિને રોકવા જગતમાં કોઈ સમર્થ નથી. ૪૧.
-આત્મધર્મ અંક ૭, જેઠ ૨૦00, ૧૧૫
વિકારી કે અવિકારી અવસ્થા તે મારામાં નથી, હું તો ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છું, પરિપૂર્ણ છું. તેના ઉપર લક્ષ દેતાં મોક્ષ દૂર નથી. તેનાથી ઊલટા ભાવવાળાને બંધન દૂર નથી એટલે કે તે સમયે સમયે બંધાય છે. ૪૨.
પાપને પાપ તો સર્વ કહે છે, પણ જ્ઞાની પુણ્યને પણ પાપ કહે છે. કારણ કે પુણ્ય અને પાપ બંને બંધન ભાવ છે. સ્વભાવને રોકનાર છે. ૪૩.
-આત્મધર્મ અંક ૧૨, આસો ૨000, પૃષ્ઠ ૨૦૦
ભગવાન આનંદનો નાથ ચૈતન્ય ચક્રવર્તી છે પણ પોતાને ભૂલી ગયો છે ને ભીખારી થઈને પર પાસે ભીખ માગે છે. પૈસા લાવ! બાયડી લાવ! આબરું લાવ! નિરોગતા લાવ! એમ માંગણ થઈને માંગ્યા કરે છે, પણ પોતાની જ અંદર આનંદ ભર્યો છે એની સામું નજર નાખતો નથી, તેથી ચાર ગતિના દુઃખોને ભોગવે છે. શુભરાગ ને અશુભરાગની વાસના તે ઝેર વાસના છે. જ્યાં આનંદનો નાથ છે ત્યાં નજર કરતો નથી ને જ્યાં નથી આનંદ ત્યાં વલખાં મારે છે. ૪૪.
એક દ્રવ્ય અન્ય દ્રવ્યથી ભિન્ન હોવાથી બહાર લોટે છે. શરીરને આત્મા અડતો નથી, વીંછીનો ડંખ શરીરને અડતો નથી ને વીંછી કરડે ત્યાં રાડ નાખે! આહાહા ! શરીર આત્માથી બહાર લોટે છે તે આત્માને શું કરી શકે ? પગ છે તે જમીનને અડતો નથી ને તડકો હોય ત્યાં પગ ગરમ થઈ જાય ! પાણીને અગ્નિ અડતી નથી ને અગ્નિ હોય ત્યાં પાણી ગરમ થાય! જીવને કર્મ અડતા નથી ને કર્મ હોય ત્યાં જીવને વિકાર થાય! આહાહા ! એ દ્રવ્યનો પોતાનો ચમત્કારીક સ્વભાવ છે પણ ઉપાદાનને દેખતો નથી ને નિમિત્ત ઉપર દૃષ્ટિ પડી છે તેથી નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થવાનો ભ્રમ થઈ ગયો છે. એક દ્રવ્ય અન્ય દ્રવ્યમાં પ્રવેશ પામી શકતું નથી, બહાર જ લોટે છે, તે અન્ય દ્રવ્યનું કરે શું? એ સિદ્ધાંત અંદરમાં બેસે તો ભ્રમણા ભાંગી જાય ને દષ્ટિ સ્વસમ્મુખ વળી જાય. ૪૫
હું બીજા જીવને મારી શકું છું. જીવાડી શકું છું, બીજા જીવોને ખાવાની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com