________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતીઃ ર૩૧ આત્મા નથી તેથી પરવસ્તુનું કાંઈપણ કરવા આત્મા સમર્થ નથી; અને પરવસ્તુ ન હોય તેથી આત્મા દુઃખી પણ નથી.'
“તું છો છો તો પરપણે નથી અને પરવસ્તુ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય તેને ફેરવવા તું સમર્થ નથી. બસ! આટલું નક્કી કરે તો શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ તારી પાસે જ છે.
૩. અનેકાન્ત વસ્તુને પોતાપણે સત્ બતાવે છે. સને સામગ્રીની જરૂર નથી, સંયોગની જરૂર નથી, પણ સને સતના નિર્ણયની જરૂર છે કે “સપણે છુંપરપણે નથી.'
૪. અનેકાન્ત વસ્તુને એક અનેક બતાવે છે. એક કહેતા જ અનેકની અપેક્ષા આવી જાય છે. તું તારામાં જ એક છો અને તારામાં જ અનેક છો તારા ગુણ-પર્યાયથી અનેક છો, વસ્તુથી એક છો.
૫. અનેકાન્ત વસ્તુને નિત્ય-અનિત્ય બતાવે છે. પોતે નિત્ય છે અને પોતે જ (પર્યાય) અનિત્ય છે. તેમાં જે તરફની રુચિ તે તરફનો પલટો (પરિણામ) થાય. નિત્ય વસ્તુની રુચિ થાય તો નિત્ય ટકનારી એવી વીતરાગતા થાય અને અનિત્ય એવી પર્યાયની રુચિ થાય તો ક્ષણિક એવા રાગ-દ્વેષ થાય.
૬, અનેકાન્ત એ વસ્તુની સ્વતંત્રતા જાહેર કરે છે. વસ્તુ પરથી નથી, અને સ્વથી છે એમ કહ્યું તેમાં “સ્વની અપેક્ષાએ દરેક વસ્તુ પરિપૂર્ણ જ છે.” એ આવી જાય છે. વસ્તુને પરની જરૂર નથી પોતાથી જ પોતે સ્વાધીન-પરિપૂર્ણ છે.
૭. અનેકાન્ત એકેક વસ્તુમાં બે વિરુદ્ધ શક્તિઓ બતાવે છે. એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી બે વિરુદ્ધ શક્તિઓ થઈને જ તત્ત્વની પૂર્ણતા છે. બે વિરુદ્ધ શક્તિનું હોવું તે વસ્તુનો સ્વભાવ છે. ૩૩.
-આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨OO0, પૃષ્ઠ ૧૮૬
અનાદિથી “જાણનારો હું નહીં, પણ જણાય તે હું” એવી ઊંધી માન્યતા છે તેથી શરીરની અવસ્થાને પોતાની થતી હોય તેમ માને છે તે માન્યતા અજ્ઞાન જ છે. ૩૪.
*
જૈન ધર્મ એ કોઈ વેશ કે વાડો નથી, પણ વીતરાગનું શાસન છે, વીતરાગતા એ જ જૈન ધર્મ છે.
વીતરાગના માર્ગમાં રાગને સ્થાન નથી પછી તે સાક્ષાત્ ભગવાન ઉપરનો હોય તોપણ જે રાગ તે જૈન શાસન નથી. ૩૫.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com