SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના હૃદયોદ્ગાર આજ સુધી કોઈએ (જડ કે જીવે) કિંચિત્માત્ર તને લાભ કે નુકશાન કર્યું જ નથી. ૧. આજ સુધી તે સતત તારા માટે એકલો નુકશાનનો જ ધંધો કર્યો છે. અને સાચી સમજણ નહિ કર ત્યાં સુધી તે ધંધો ચાલશે જ. ૨. તે નુકશાન તારી ક્ષણિક અવસ્થામાં થયું છે. તારી વસ્તુમાં નથી થયું. ૩. આત્મા પોતાના જ ભાવોનો ગ્રહણ કરનાર કે છોડનાર છે; જડ કર્મને આત્મા ગ્રહતો કે છોડતો નથી; જડ કર્મની અવસ્થા જડના કારણે થાય છે; કારણ કે દરેક દ્રવ્યો સ્વતંત્ર છે. અને દરેક વસ્તુના ગુણ-પર્યાય બીજી વસ્તુથી જાદા છે તેથી જડની બધી અવસ્થાનો કર્તા જડવસ્તુ અને આત્માની અવસ્થાનો કર્તા આત્મા પોતે જ છે. ૪. -આત્મધર્મ અંક ૫, ચૈત્ર ૨OOO, ટાઈટલ પૃષ્ઠ 3 સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરદ્રવ્યમાં નિવૃત્તિ એ આત્માનો સ્વભાવ છે. ૫. -આત્મધર્મ અંક ૫, ચૈત્ર ૨૦૦૦, ટાઈટલ પૃષ્ઠ 3 પ્રભુ, તારી પ્રભુતા! એક સમયમાં જ્ઞાનાદિ અનંત ગુણોથી પરિપૂર્ણ છો ! એક ક્ષણ પૂરતો વર્તમાન અવસ્થાનો વિકાર તે પણ તારું સ્વરૂપ નથી. વર્તમાનમાં જ પરિપૂર્ણ સ્વરૂપ છે. ૬. –આત્મધર્મ અંક ૫, ચૈત્ર ૨OO0, પૃષ્ઠ 6 Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy