SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૨) દેવ-શાસ્ર-ગુરુ (૪૦) પ્રશ્ન:- ભગવાનની મૂર્તિ તો જડ છે, છતાં તેની પૂજાનો ઉપદેશ શા માટે આપવામાં આવે છે? ઉત્ત૨:- અરે ભાઈ ! હજી, તું જડ-ચેતનને સમજ્યો જ ક્યાં છો ? તારા સ્ત્રીપુત્રાદિ પણ જડ જ છે; છતાં તું એમનાથી રાગ શા માટે કરે છે? આત્મા સ્ત્રીપુત્રાદિરૂપ નથી; તું તેમના આત્માને તો જાણતો નથી, ફક્ત શરીરમાં જ તું સ્ત્રીપુત્રાદિપણાને માની બેઠો છો. આ શરીર તો જડ છે, છતાં પણ તું તેના પ્રત્યે રાગ કરીને પાપ બાંધે છે અને જ્યાં દેવની વાત આવે છે ત્યાં તું કહે છે કે મૂર્તિ તો જડ છે; ત્યારે કહેવું જોઈશે કે તને દેવ-ગુરુની ઓળખાણ જ નથી. ભગવાનના ભક્તને પ્રથમ ભૂમિકામાં દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રતિ શુભરાગ આવ્યા વિના રહેતો નથી. હિંદી આત્મધર્મ મે ૧૯૮૩, પૃષ્ઠ ૨૮ (૪૧) પ્રશ્ન:- જડ મૂર્તિને ભગવાન કેવી રીતે માની શકાય ? ઉત્ત૨:- સાક્ષાત્ જિનેન્દ્ર ભગવાનના અભાવમાં પ્રતિમાજીમાં તેઓની સ્થાપના કરવામાં આવે છે. સ્થાપના બે પ્રકારે થાય છે-(૧) સદ્દભાવરૂપ સ્થાપના (૨) અસદ્ભાવરૂપ સ્થાપના. જિનેન્દ્રદેવના અનુસાર તેમની મૂર્તિમાં જિનેન્દ્રદેવનું આરોપણ કરવું તે સદ્ભાવરૂપ સ્થાપના છે, અને પુષ્પ વગેરેમાં સ્થાપના કરવી તે અસદ્દભાવરૂપ સ્થાપના છે, એને તદાકાર અને અતદાકાર સ્થાપના પણ કહે છે. જિનદેવની પ્રતિમામાં જિનદેવની જ સ્થાપના થાય છે, તેથી તે પ્રતિમા ઉપર કોઈ શ્રૃંગાર આદિ ચઢાવી શકાતા નથી. વીતરાગની પ્રતિમાને વસ્ત્ર હોઈ શકે જ નહિ, માળા પણ હોઈ શકે નહિ; મુગટ પણ હોઈ શકે નહિ, શસ્ત્ર-આદિ રાગ-દ્વેષના અન્ય ચિહ્ન પણ નથી હોઈ શકતાં. -હિંદી આત્મધર્મ મે ૧૯૮૩, પૃષ્ઠ ૨૮ (૪૨) પ્રશ્ન:- સાચા દેવને જોયા વિના તેમનો નિશ્ચય કેવી રીતે કરી શકાય ? ઉત્ત૨:- જેમ કોઈ આદમી કોઈ બંધ મકાનમાં વીણા વગાડતો હોય તો જો કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy