________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કમબદ્ધપર્યાયઃ ૧૮૯ છે. પણ જ્યારે દ્રવ્ય ઉપર લક્ષ જાય છે ત્યારે બધું જેમ છે તેમ છે તેમ જાણે છે. પરનું તો કાંઈ પલટાવવું નથી અને સ્વનું પણ કાંઈ પલટાવવું નથી. સ્વનો નિર્ણય કરતાં દિશા જ પલટી જાય છે. -આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩ર
(૫૮૨) પ્રશ્ન:- પર્યાય તો વ્યવસ્થિત જ થવાની છે એટલે પુરુષાર્થની પર્યાય તો જ્યારે તેનો પ્રગટવાનો કાળ આવશે ત્યારે જ પ્રગટશે એટલે હવે કરવાનું શું રહે છે?
ઉત્તર- વ્યવસ્થિત પર્યાય છે એમ જાણું ક્યાંથી? વ્યવસ્થિત પર્યાય દ્રવ્યમાં છે તો તેને દ્રવ્ય ઉપર દષ્ટિ કરવાની છે. પર્યાયના ક્રમ ઉપર દષ્ટિ રાખવાની નથી પણ ક્રમસર પર્યાય જેમાંથી પ્રગટે છે એવા દ્રવ્યસામાન્ય ઉપર જ એને દષ્ટિ કરવાની છે. સામાન્ય ઉપરની દષ્ટિમાં અનંત પુરુષાર્થ આવે છે. ક્રમબદ્ધના સિદ્ધાંતથી અકર્તાપણું સિદ્ધ થાય છે, ક્રમ સામે જોવાનું નથી.
-આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૨૭
(૫૮૩). પ્રશ્ન- બધા ગુણોનું કાર્ય વ્યવસ્થિત જ છે તો પછી તેને પુરુષાર્થ કરવાનો રહેતો નથી.
ઉત્તર- જેને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં પુરુષાર્થ ભાસતો નથી તેને વ્યવસ્થિત બેઠું છે જ ક્યાં?
-આત્મધર્મ અંક ૪ર૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩૦
(૫૮૪) પ્રશ્ન- તેને વ્યવસ્થિત બેઠું નથી એવું તેનું પરિણમન પણ વ્યવસ્થિત જ છે. એ વ્યવસ્થિતનો નિર્ણય ન કરી શકે તેવું તેનું પરિણમન વ્યવસ્થિત જ છે તો પછી તેને નિર્ણય કર તેમ કેમ કહેવામાં આવે છે?
ઉત્તર- એનું પરિણમન વ્યવસ્થિત જ છે એમ તેને ક્યાં ખબર છે? વ્યવસ્થિત પરિણમન છે તેમ સર્વજ્ઞ કહ્યું પણ સર્વજ્ઞનો તેને ક્યાં નિર્ણય છે? પહેલાં એ સર્વજ્ઞનો તો નિર્ણય કરે? પછી વ્યવસ્થિતની ખબર પડે.
–આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩૦-૩૧
(૫૮૫) પ્રશ્ન- વ્યવસ્થિત પરિણમનશીલ વસ્તુ છે એમ ભગવાને કહેલું તેને બેઠું છે.
ઉત્તર:- ના સર્વજ્ઞ ભગવાનનો પણ ખરો નિર્ણય તેને ક્યાં છે? પહેલાં સર્વજ્ઞનો નિશ્ચય આવ્યા વિના વ્યવસ્થિતનો નિર્ણય ક્યાંથી આવ્યો? એમ ને એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com