SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮: જ્ઞાનગોષ્ઠી વસ્તુ સફેદ શંખને કાળો કરી શકતી નથી. તેમ ચૈતન્યસ્વરૂપ આત્માને ગમે તેવો આકરો કર્મનો ઉદય આવે ને આકરા પ્રતિકુળ સંયોગો આવે તો પણ તે જ્ઞાનસ્વરૂપ આત્માને અજ્ઞાનરૂપે કરી શકતા નથી કે ક્રોધાદિ કષાયરૂપે પરિણાવી શકતા નથી. આત્મા જ ક્રોધાદિ અજ્ઞાનરૂપે પરિણમે છે તો તે પોતાના જ અપરાધથી પરિણમે છે. પણ પરદ્રવ્યો આત્માને બિલકુલ વિકાર કરાવી શકતા નથી. દેવ-ગુરુ આદિ પરદ્રવ્યના લઈને આત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે થાય છે એમ નથી પણ આત્મા પોતે જ પોતાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણરૂપે પરિણમે છે તેથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. પરદ્રવ્ય આત્માને અજ્ઞાની કે જ્ઞાની બીલકુલ કરી શકતા નથી. આત્મા પોતે જ પોતાના અપરાધથી ક્રોધાદિરૂપ અને પોતાના ગુણથી જ્ઞાનરૂપે થાય છે. -આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૩૦-૩૧ (૫૫૧), પ્રશ્ન- સમ્યગ્દર્શન તથા કેવળજ્ઞાન થવામાં કારણ કોણ છે? ઉત્તર- સમ્યગ્દર્શન થવામાં શુદ્ધાત્માની શ્રદ્ધા પ્રતીતિ સિવાય બીજું કોઈ કારણ નથી. નવતત્ત્વનો વિકલ્પ પણ સમ્યગ્દર્શનમાં કારણ નથી. કેવળજ્ઞાન થવામાં શુદ્ધોપયોગ કારણ છે. બીજાં કોઈ કારણ નથી. કેવળજ્ઞાન માટે શુદ્ધોપયોગના સિવાય કોઈને (રાગાદિને) સાધક માનવું-એ તો કેવળજ્ઞાનનો અનાદર છે, શુદ્ધોપયોગનો અનાદર છે. ધર્મનો અનાદર છે. મોક્ષનો અનાદર છે તથા મોક્ષના સાધક શુદ્ધોપયોગી સંતોનો પર અનાદર છે. આવી વિપરીત માન્યતામાં મહાન અપરાધ છે અને તે માન્યતા સંસારનું કારણ છે. અહો! શુદ્ધોપયોગ તો કેવળજ્ઞાનનો રાજમાર્ગ છે અને શુભરાગ તો કેવળજ્ઞાનને રોકવાવાળો છે. લૂંટારો છે. રાગને ધર્મનું સાધન માનનારા તો રાજમાર્ગના અપરાધી છે, તે રાજમાર્ગ નથી, તે તો રાગમાર્ગ છે અર્થાત્ સંસાર માર્ગ છે-એમ જાણવું જોઈએ. -હિન્દી આત્મધર્મ ફેબ્રુઆરી ૧૯૮૧, પૃષ્ઠ ૨૬ (પપર) પ્રશ્ન:- પરની પર્યાય તો કરે નહિ પણ પોતાની પર્યાયને પણ કરે નહિ? ઉત્તર:- પોતાની પર્યાય પણ સ્વકાળે થાય જ છે તેને કરે શું? ખરેખર તો એ જ્ઞાતાદ્રષ્ટા જ છે. પ્રયત્ન પૂર્વક મોક્ષને કર એમ કથન આવે. કમર કસીને મોહને જીતવો એમ ભાષામાં આવે, પણ ખરેખર તો એની દષ્ટિમાં દ્રવ્ય આવ્યું એટલે એ જ્ઞાતાદખા જ છે, જ્ઞાતાદષ્ટામાં અનંતો પુરુષાર્થ છે. -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૬ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy