SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ર: જ્ઞાનગોષ્ઠી (૫૩૨) પ્રશ્ન:- પરજીવોનું જીવન કે મરણ તેના કારણે થાય છે, “હું તેનું કાંઈ ન કરી શકું, હું તો માત્ર જાણનાર છું,’ એવી શ્રદ્ધા રાખશે તો જીવનાં પરિણામ નિષ્ફર નહિ થઈ જાય ? ઉત્તર- અરે ભાઈ, વસ્તુસ્વભાવ જેમ છે તેમ તેની શ્રદ્ધા કરવાનું ફળ તો વીતરાગતા છે. ચૈતન્યસ્વભાવની શ્રદ્ધાપૂર્વક જો દયાદિના પરિણામ છોડીને માત્ર જ્ઞાતા રહેશે તો વીતરાગ થશે. પછી અજ્ઞાનીઓ ભલે તેને નિષ્ફર કહે. સંસારમાં પણ એકનો એક વીસ વર્ષનો પુત્ર મરી જાય ત્યાં કાંઈ તેનો બાપ સાથે મરી જતો નથી, તો તેને કેમ નિષ્ફરતા કહેતા નથી ? એ નિષ્ફરતા નથી પણ તે પ્રકારનો વિવેક છે. જગતના જીવો પણ વિકારના લક્ષે નિષ્ફર (લાગણી રહિત) થઈ જાય છે. ઘરમાં વીસ વર્ષની જુવાન બાઈ વિધવા થઈ હોય અને ૬૦ વર્ષનો ડોસો વિષયમાં લીન થઈ રહ્યો હોય, જુઓ તો ખરા ! તેના પરિણામ કેટલા નિષ્ફર છે? અજ્ઞાનીઓ કષાયના લક્ષે નિષ્ફરલાગણીહીન થાય છે, જ્યારે જ્ઞાનીઓ પોતાના ચૈતન્યસ્વભાવના લક્ષે એકાગ્ર થઈને વિકારી લાગણીઓથી રહિત સિદ્ધ થાય છે, તેઓને તો વીતરાગી કહેવાય છે. જે જીવો વિકારી લાગણી કરે છે તે પરને માટે કરતા નથી પણ પોતાને તે જાતનો કષાય હોવાથી તે લાગણી થાય છે. એ લાગણીને જે કરવા જેવી માને-ફરજ માને તે મિથ્યાષ્ટિ છે. -આત્મધર્મ અંક ૫૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૯૯ (૫૩૩). પ્રશ્ન:- જો વાણીનો કર્તા આત્મા નથી તો “મુનિઓએ સત્ય વચનો બોલવાં” એમ અહીં આચાર્યદવે શા માટે કહ્યું? ઉત્તર:- સભ્યજ્ઞાન પૂર્વક સત્ય બોલવાનો ભાવ હોય ત્યારે, જો વાણી નીકળે તો તે વાણી સત્ય જ હોય એવો મેળ બતાવવા માટે નિમિત્તથી કહેવાય કે મુનિઓએ સત્ય બોલવું; તેમાં એવો આશય છે કે, મુનિવરોએ આત્મસ્વરૂપમાં સ્થિર રહીને વાણી તરફનો વિકલ્પ જ થવા ન દેવો, અને જો વિકલ્પ થાય તો અસત્ય વચન તરફનો અશુભરાગ તો ન જ થવા દેવો. પરંતુ “આત્મા જડ વાણીનો કર્તા છે” એમ કહેવાનો આશય નથી. –આત્મધર્મ અંક પ૭, અષાઢ ૨૪૭૪, પૃષ્ઠ ૧૫૪ (પ૩૪) પ્રશ્ન- વાણીના કર્તા નથી તો મુનિઓ ઉપદેશ કેમ આપે છે? ઉત્તર-મુનિઓ ઉપદેશ દેતા જ નથી. મુનિઓ ઉપદેશને જાણે છે. ભગવાન કહે છે, જિનવર કહે છે-એમ શાસ્ત્રમાં કથનો આવે પણ ભગવાન કહેતા જ નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy