SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રમાણ-નય: ૧૬૫ પ્રત્યક્ષ પ્રતિભાસરૂપ સકલ નિરાવરણ નિત્ય નિરંજન નિજ શુદ્ધાત્મદ્રવ્ય તે જ હું છું. દ્રવ્ય-ગુણ-પર્યાયમય વસ્તુ હોવા છતાં આશ્રય કરવા માટે શુદ્ધાત્મા જ એક છે તેમ શુદ્ધનય નિર્ણય કરાવે છે. -આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૬ (૫૧૪) પ્રશ્ન- ધ્રુવદ્રવ્યથી પ્રમાણ મોટું છે કે નાનું? ઉત્તર- પ્રમાણમાં વ્યવહારનો નિષેધ આવતો નથી માટે તે પૂજ્ય નથી. ધ્રુવ છે તે આશ્રયયોગ્ય છે તેથી તે પૂજ્ય છે, તેથી મોટું છે. એકલો ત્રિકાળી ભગવાન દષ્ટિમાં આવે છે તેથી તે પૂજ્ય છે ને મોટું છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ 10 (૫૧૫) પ્રશ્ન:- સ્વ-પરપ્રકાશક જ્ઞાનને પ્રમાણ કહ્યું છે, તે કઈ રીતે? છદ્મસ્થને તો કાંઈ સ્વપરનો એક સાથે ઉપયોગ હોતો નથી ? ઉત્તર- પ્રમાણને સ્વ-પરપ્રકાશક કહ્યું છે ત્યાં કાંઈ સ્વ અને પર બંનેમાં એક સાથે ઉપયોગ હોવાની વાત નથી, પણ જે જ્ઞાન અને સ્વપણે ને પરને પરપણે જાણ્યું છે તે સમ્યજ્ઞાન પ્રમાણે છે-એમ તેનું સ્વ-પરપ્રકાશકપણે સમજવું-અવધિ મન:પર્યયનો ઉપયોગ તો પરમાં જ હોય છે, છતાં તે પણ અને સ્વપણે ને પર પરપણે જાણે છે, તેથી પ્રમાણ છે. છદ્મસ્થને ઉપયોગ તો સ્વમાં હોય ત્યારે પરમાં ન હોય, ને પરમાં હોય ત્યારે સ્વમાં ન હોય, છતાં પ્રમાણરૂપ સમ્યજ્ઞાન તો જ્ઞાનીને સદૈવ વર્તે છે પરને જાણતી વખતેય “હું જ્ઞાન છું” એવું આત્મભાન ખસતું નથી, એ જ જ્ઞાનની પ્રમાણતા છે. -આત્મધર્મ અંક ૨૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ૨૯ (૫૧૬). પ્રશ્ન-નયોને ઇંદ્રજાળ કેમ કહી છે? ઉત્તર:- નયોમાં અનેક પ્રકારની અપેક્ષા પડે છે, તે દ્વારા વસ્તુમાં રહેલા કથંચિત્ પરસ્પર વિરુદ્ધ ધર્મો બતાવે છે. સ્યાદ્વાદથી તેનું સાચું સ્વરૂપ ન સમજે તો તેને ઇંદ્રજાળ જેવી ગૂંચવણી લાગે છે. જેમ કે એક નય દ્રવ્યને નિત્ય કહે છે ત્યારે બીજીનય દ્રવ્યને અનિત્ય કહે છે; એક નય દ્રવ્યને એકરૂપ કહે છે, બીજી નય દ્રવ્યને અનેકરૂપ કહે છે; એક નય દ્રવ્યને સરૂપ કહે છે, બીજી નય દ્રવ્યને અસરૂપ કહે છે; એક નય ક્રિયાથી મુક્તિ કહે છે, ત્યારે બીજી નય જ્ઞાનથી મુક્તિ કહે છે; એક નય કર્મનો કર્મને વ્યવહાર કહી રાગને નિશ્ચય કહે છે, વળી તે જ રાગને એક નય વ્યવહાર કહીને નિર્મળ પર્યાયને નિશ્ચય કહે છે. વળી નિર્મળ પર્યાયને વ્યવહાર કહીને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy