SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪: જ્ઞાનગોષ્ઠી ઉત્તર:- પ્રમાણજ્ઞાનના લોભથી નિશ્ચયમાં આવી શકતો નથી ત્યાં એમ કહેવું છે કે, અજ્ઞાની પર્યાયનું અને દ્રવ્યનું જ્ઞાન કરવા જાય છે ત્યાં અનાદિના અભ્યાસથી પર્યાયમાં અહંપણાનું જોર રહેવાથી દ્રવ્યનું જ્ઞાન સાચું થતું નથી. અજ્ઞાનીને એમ થાય છે કે પર્યાય છે ને! પર્યાય છે તો ખરી ને! એમ પર્યાય ઉપર જોર આપવાથી દ્રવ્ય ઉપર જોર આપી શકતો નથી અને તેથી અંદરમાં ઢળી શકતો નથી. પર્યાય નહિ માનું તો એકાંત થઈ જશે એવો ભય રહે છે. આ રીતે પ્રમાણજ્ઞાનના લોભથી પર્યાયને ગૌણ કરી દ્રવ્યસન્મુખ ઢળી શકતો નથી. દ્રવ્ય પર્યાયનો દાતા નથી તેમ યોગસારમાં આવે છે. એ કથન દ્રવ્યાર્થિકનયનું છે અને દ્રવ્ય પર્યાયરૂપે પરિણમે છે એ કથન પર્યાયાર્થિકનયનું છે. ત્યાં પણ દ્રવ્યસામાન્ય તો સામાન્યરૂપે જ રહ્યું છે. પણ દ્રવ્યનો એક ધર્મ વિશેષપણે પરિણમવાનો છે તેથી દ્રવ્ય પરિણમે છે તેમ કહ્યું છે. સમયસાર ગાથા ૫૦ થી પ૫ માં અનુભૂતિને આત્મા કહ્યો છે ત્યાં જેટલા વિકલ્પો ઉઠે છે તેનાથી ભિન્ન અને સ્વથી અભિન કહેવું છે, તેથી અનુભૂતિની નિર્મળ પર્યાયને આત્મા કહ્યો છે. પણ જ્યારે એ અનુભૂતિ કેમ પ્રગટે છે તે બતાવવું હોય ત્યારે તો ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય તે સ્વ છે ને તેનો આશ્રય કરનાર પર્યાય તે પર છે; ભિન્ન છે તેમ નિયમસાર ગાથા ૫૦માં કહ્યું છે. એ અનુભૂતિની નિર્મળ પર્યાય ધ્રુવ દ્રવ્યને સ્પર્શતી નથી ને ધ્રુવ દ્રવ્ય અનુભૂતિને સ્પર્શતું નથી. અહો! આ તો પરમ અધ્યાત્મના અંદરના ગંભીર સૂક્ષ્મ ભાવો છે. જાણનક્રિયા અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એ એક બીજાને સ્પર્શતાં નથી, છતાં જાણનક્રિયાનો આધાર આત્મદ્રવ્ય છે. -આત્મધર્મ અંક ૩૮૬, ડિસેમ્બર ૧૯૭૫, પૃષ્ઠ ૩ર (૫૧૩) પ્રશ્ન:- સાચું અને સર્વાગી હોવા છતાં પણ પ્રમાણજ્ઞાન પૂજ્ય નથી, અને નિશ્ચયનય પૂજ્ય છે, તેનું શું કારણ? ઉત્તર:- આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ છે એમ પહેલાં જ્ઞાનમાં જાણવું જોઈએ. ભલે તે ભેદ-કથનનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન નથી, છતાં પહેલાં એ જાણવું તે જ્ઞાનનું અંગ છે. સમ્યક થતાં પહેલાં તે આવે છે. દ્રવ્ય-ગુણ-પર્યાય સહિતનું દ્રવ્ય તે આખી વસ્તુ પ્રમાણજ્ઞાનનો વિષય છે. પહેલાં જ્ઞાનમાં તેને જાણવું જોઈએ. પ્રમાણજ્ઞાનમાં દ્રવ્ય-પર્યાય બે આવે છે તેથી તે વ્યવહારનયનો વિષય હોવાથી પૂજ્ય નથી. નિશ્ચયનયનો વિષય એક ત્રિકાળી શુદ્ધાત્મા છે તેથી નિશ્ચયનયને પૂજ્ય કહ્યું છે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વસ્તુ વ્યાસ હોવા છતાં શુદ્ધનય એકરૂપ શુદ્ધાત્માને બતાવે છે કે એક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy