________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચય-વ્યવહાર: ૧૫૧
અંશને અંતરમાં વાળીને જેણે ત્રિકાળી દ્રવ્યની સાથે અભેદતા કરે છે તેને જ શુદ્ધનય હોય છે, અને આવી અભેદષ્ટિ કરી ત્યારે શુદ્ધનયનું અવલંબન લીધું એમ કહેવાય છે એટલે ‘ શુદ્ધનયનું અવલંબન' એમ કહેતાં તેમાં પણ દ્રવ્ય-પર્યાયની અભેદતાની વાત છે; પરિણતિ અંતર્મુખ થઈ દ્રવ્યમાં અભેદ થઈને જે અનુભવ થયો તેનું નામ શુદ્ઘનયનું અવલંબન છે, તેમાં દ્રવ્ય-પર્યાયના ભેદનું અવલંબન નથી. જો કે શુદ્ધનય જ્ઞાનનો અંશ છે-પર્યાય છે, પરંતુ તે શુદ્ધનય અંતરના ભૂતાર્થ સ્વભાવમાં અભેદ થઈ ગયો છે એટલે ત્યાં નય અને નયનો વિષય જુદા ન રહ્યા. જ્યારે જ્ઞાનપર્યાય અંતરમાં વળીને શુદ્ધદ્રવ્ય સાથે અભેદ થઈ ત્યારે જ શુદ્ઘનય થયો. આ શુદ્ઘનય નિર્વિકલ્પ છે.
તે
-આત્મધર્મ અંક ૧૧૯, ભાદ્રપદ ૨૪૭૯, પૃષ્ઠ ૨૩૫ (૪૭૮ )
પ્રશ્ન:- શાસ્ત્રમાં વ્યવહારને પણ પ્રશંસા યોગ્ય કઠેલ છે ને?
ઉત્ત૨:- નિશ્ચય શુદ્ધાત્માની ભાવનાવાળા સાધક જીવને જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા પ્રગટી ન હોય ત્યાં સુધી નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની સાથે જે વ્યવહા૨સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એટલે કે સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા નવ તત્ત્વનું જ્ઞાન અને પંચમહાવ્રતનું આચરણ છે તેને નિશ્ચયનું સહકારી ગણીને પ્રશંસા યોગ્ય કહ્યું છે. વ્યવહારે મોક્ષમાર્ગ કહ્યો છે. તોપણ પરમાર્થે તો બંધ માર્ગ જ છે. તેથી નિશ્ચય શુદ્ધાત્માની ભાવના કાળે તે વ્યવહાર પ્રશંસા યોગ્ય નથી. સાધક જીવને પૂર્ણ વીતરાગતા થઈ નથી ત્યાં સુધી એટલે પ્રથમ અવસ્થામાં વ્યવહાર શ્રદ્ધા-જ્ઞાનઆચરણને પ્રશંસા યોગ્ય કહ્યું છે તોપણ શુદ્ધાત્માની ભાવના કાળે પ્રશંસા યોગ્ય નથી. -આત્મધર્મ અંક ૩૯૯, જાન્યુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૯
(૪૭૯)
પ્રશ્ન:- નિશ્ચયનય અને વ્યવહારનયને વિરોધ છે કે મૈત્રી છે?
ઉત્ત૨:- નિશ્ચયનય અને વ્યવહારનયને છે તો વિરોધ પણ સાથે રહે છે તે અપેક્ષાએ મૈત્રી પણ કહેવાય. સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનને સાથે રહેવામાં વિરોધ છે તેમ નિશ્ચય વ્યવહારને વિરોધ નથી, સાથે રહે છે તેથી મૈત્રી કહેવાય.
-આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૩
(૪૮૦)
પ્રશ્ન:- તો શું વ્યવહાર છે જ નહીં?
ઉત્ત૨:- વ્યવહાર છે ભલે,−પણ મોક્ષમાર્ગ તેના આધારે નથી. વ્યવહારના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com