SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨) નિશ્ચય-વ્યવહાર (૪૭૬) પ્રશ્ન:- સમયસાર ગાથા ૧૧ મી એ તો જૈનદર્શનના પ્રાણ સમાન છે તેમાં તો વ્યવહારને અભૂતાર્થ કહ્યો છે-જૂઠો કહ્યો છે, કૃપા કરીને એ ગાથાનું સ્પષ્ટીકરણ કરશો? ઉત્તર:- સમયસાર ગાથા ૧૧ મી એ તો જૈનદર્શનના પ્રાણ સમાન છે. તેમાં નિશ્ચય-વ્યવહાર નયની વાત કરી છે તેને યથાર્થ જાણવી જોઈએ. રાગ, પર્યાય ને ગુણભેદ, તે વ્યવહારનયનો વિષય છે તે ત્રિકાળી વસ્તુમાં નથી. તેથી વ્યવહારનયને જૂઠો કહીને અભૂતાર્થ કહ્યો છે એટલે પર્યાય છે જ નહિ તેમ સીધો અર્થ થાય છે, પરંતુ તેમ નથી. પર્યાય છે ખરી પણ ત્રિકાળી વસ્તુ તે પર્યાય નથી તેથી પર્યાયની ઉપેક્ષા કરીને ગૌણ કરીને ત્રિકાળી ધ્રુવ શાયકની દષ્ટિ કરાવવી છે. કેમ કે ત્રિકાળી દ્રવ્યને મુખ્ય કરીને દ્રવ્યનો અનુભવ કરાવવાનું પ્રયોજન છે. જ્ઞાન તે આત્મા એવો ભેદ પણ દષ્ટિના વિષયમાં આવતો નથી. અભેદ દેખનારની દષ્ટિમાં ભેદ દેખાતો નથી, સત્યાર્થ દેખનારને અસત્યાર્થ દેખાતો નથી, નિત્ય દેખનારને અનિત્ય દેખાતો નથી, ભૂતાર્થ દેખનારને અભૂતાર્થ દેખાતો નથી, એકાકાર દેખનારને અનેકાકાર દેખાતો નથી. તેથી ભેદરૂપ વ્યવહારને અભૂતાર્થ કહ્યો છે અને નિશ્ચયનયના વિષયભૂત ત્રિકાળી ધ્રુવવસ્તુ એક જ ભૂતાર્થ હોવાથી તેનો આશ્રય કરાવ્યો છે. -આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૫ (૪૭૭) પ્રશ્ન:- સમયસાર ગાથા ૧૧ માં શુદ્ધનયનું અવલંબન લેવાનું કહ્યું પરંતુ શુદ્ધનય તો જ્ઞાનનો અંશ છે-પર્યાય છે, શું તે અંશના અવલબન સમ્યગ્દર્શન થાય ? ઉત્તર- ખરેખર શુદ્ધનયનું અવલંબન ક્યારે થયું કહેવાય? એકલા અંશને પકડીને તેના જ અવલંબનમાં જે અટક્યો છે તેને તો શુદ્ધનય છે જ નહિ; જ્ઞાનના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy