________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય-ગુણ-પર્યાયઃ ૧૪૩ આવી વાતો કરોડો રૂપિયા દેતા પણ મળે તેમ નથી. અહા! જે જાણતા વીતરાગતા થાય એની કિંમત શું? -આત્મધર્મ અંક ૪૩૦, ઓકટોબર ૧૯૭૯, ટાઈટલ ૩
(૪૫૮) પ્રશ્ન:- પર્યાયનો બગાડો મટીને પર્યાયમાં સુધારો કેમ થાય?
ઉત્તરઃ- પર્યાય પોતે પરનું લક્ષ કરીને બગડી છે તે પોતે પરનું લક્ષ છોડી સ્વભાવનું લક્ષ કરતાં પર્યાય પોતે પોતાથી સુધરી જાય છે. સ્વનું લક્ષ કરવું એ જ પર્યાયનો સુધારો છે.
-આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૨
(૪૫૯) પ્રશ્ન- આત્મામાં અનંતાધર્મો છે, છતાં તેને જ્ઞાનમાત્ર જ કેમ કહો છો?
ઉત્તર:- આત્માની જે જ્ઞતિક્રિયા થાય છે તેમાં અનંતધર્મોનો સમુદાય ભેગો જ પરિણમે છે. એકલું જ્ઞાન જુદું નથી પરિણમતું પરંતુ તે જ્ઞાનની સાથે સાથે જ આનંદ, શ્રદ્ધા, જીવત વગેરે અનંત ગુણોનું પરિણમન ભેગું જ છે. એક જ્ઞાનગુણને જુદો લક્ષમાં લઈને ધર્મી નથી પરિણમતો પરંતુ જ્ઞાન સાથેના અનંત ધર્મોને અભેદપણે લક્ષમાં લઈને ધર્મજીવ એક જ્ઞતિમાત્ર ભાવરૂપે પરિણમે છે.
-આત્મધર્મ અંક ૨૦૩, ભાદ્રપદ ૨૪૮૬, પૃષ્ઠ 5
(૪૬૦) પ્રશ્ન- સંસાર દશા તે દુઃખરૂપ છે અને મોક્ષદશા તે સુખરૂપ છે છતાં એ બંનેમાં તફાવત નથી તેમ કેમ કહ્યું છે?
ઉત્તર- સંસાર અને મોક્ષ બંને એક સમયની પર્યાય છે એ બંને પર્યાયમાં ત્રિકાળી વસ્તુની અપેક્ષાએ તફાવત નથી. આ બહુ આકરી વાત છે. ક્ષાયિક આદિ ચાર ભાવોને પદ્રવ્ય, પરભાવ કહીને હેય કહ્યાં છે. વ્યવહારના પક્ષવાળાને સાંભળવું મુશ્કેલ પડે એવી વાત છે. સંસાર અને મોક્ષ તે બંને પર્યાયો છે ખરી પણ તે આશ્રય કરવા યોગ્ય નથી. આશ્રય કરવા યોગ્ય તો એક ત્રિકાળી દ્રવ્ય જ છે, નિયમસાર ગાથા ૫૦ માં બહુ આકરી વાત કરી છે. આચાર્યદેવે પોતાના માટે એ શાસ્ત્ર બનાવેલ છે, તેમાં કેવળજ્ઞાન આદિ ક્ષાયિકભાવને પરભાવ, પરદ્રવ્ય કહીને હેય કહ્યું છે. આ પરમાત્માના ઘરની વાતો છે, પરમ સત્ય છે. અંદરથી સમજવાની ધગશ લાગે તેને ન સમજાય તેમ ન બને, સમજાય જ.-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૩, પૃષ્ઠ ૨૯-૩૦
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com