________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮: જ્ઞાનગોષ્ઠી
છે તે સર્વથા અભેદ નથી. પૂર્ણની શ્રદ્ધા થયા પછી પૂર્ણદશા પ્રગટતાં વાર લાગે છે. પરંતુ, પૂર્ણતા પ્રગટ થવાનો સ્વભાવ છે તે પ્રતીતમાં આવ્યો એટલે અલ્પકાળે પૂર્ણતા પ્રગટ થયા વિના રહેશે નહિ. -આત્મધર્મ અંક ૯૬, આસો ૨૪૭૭, પૃષ્ઠ ૨૫૯
(૩૪૮ )
પ્રશ્ન:- ધર્મ પ્રાપ્ત કરવાને માટે પહેલાં શું નિર્ણય કરવો ?
ઉત્ત૨:- ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જ ધર્મ થાય છે એમ પહેલાં નિર્ણય કરવો જોઈએ, ભલે હજુ પહોંચી શકે નહિ પણ એના સંસ્કાર નાખવા જોઈએ જેથી ૫૨ તરફના વલણવાળા ભાવને અનુમોદે નહિ. પહેલા શ્રદ્ધા-જ્ઞાન સમ્યક થાય છે, પછી જ ચારિત્ર થાય. છતાં લોકો બાહ્ય ક્રિયાકાંડમાં ચડી ગયા એટલે એને આકરું લાગે છે. કોઈ આત્માનો અનાદર નથી પણ એ ભાવ એને નુકશાન કર્તા છે. આત્મા સ્વભાવે તો પ્રભુ છે, ક્ષણમાં પલ્ટી જશે, એક ક્ષણની ભૂલ છે ને એક ક્ષણમાં ટાળી શકે છે. -આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૧
(૩૪૯)
પ્રશ્ન:- ૫૨વસ્તુથી આત્માને લાભ-હાનિ છે નહિ. આત્માનું અકલ્યાણનું કારણ રાગ છે-એવું આપ કહો છો. શું તે રાગથી પણ અધિક અકલ્યાણનું કારણ કોઈ અન્ય પણ છે?
ઉત્ત૨:- કોઈ પણ વસ્તુ અથવા દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ આ જીવનું કલ્યાણઅકલ્યાણનું કારણ નથી. માત્ર પોતાની પર્યાયમાં સાચી સમજ અને સ્થિરતા જ કલ્યાણનું કારણ છે, તથા મિથ્યા સમજ અને રાગાદિ જ અકલ્યાણનું કારણ છે. તોપણ રાગભાવથી જેટલું અકલ્યાણ થાય છે, તેની અપેક્ષાએ અનંતગણું અકલ્યાણ રાગથી આત્માને લાભ થાય છે, અથવા ‘રાગમાં ધર્મ છે’ આ જૂઠી માન્યતાથી થાય છે. આ ઉલ્ટી માન્યતાવાળા જીવ ત્યાંથી અને પંડિત હોવા છતાં પણ મહા સંસારમાં ભટકે છે. હિન્દી આત્મધર્મ જૂન ૧૯૮૩, પૃષ્ઠ ૨૮
(૩૫૦)
પ્રશ્ન:- ધર્મની શરૂઆત કોના આશ્રયથી થાય ?
ઉત્ત૨:- લાખ ૫દ્રવ્યનો આશ્રય કરે તોપણ ધર્મની શરૂઆત થાય નહિ, પણ એક સ્વદ્રવ્યનો આશ્રય કરે તો ધર્મની શરૂઆત થાય.
જે રીતે પર્યાય દ્રવ્ય તરફ ઢળે એ રીતે વાંચન, વિચાર, મનન, શ્રવણ બધું કરવું જોઈએ. મૂળ પ્રયોજન તો દ્રવ્ય તરફ ઢળવું એ જ છે.
-આત્મધર્મ અંક ૪૩૦, ઓગષ્ટ ૧૯૭૯, પૃષ્ઠ ૨૪
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com