________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગઃ ૧૦૭
ઉત્ત૨:- એ ક્રમ જ નથી. પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ કરે છે પછી એકદમ શુભરાગ ટાળી શકતો નથી તેથી પહેલાં અશુભરાગ ટાળીને શુભરાગ આવે છે, એ સાધકના ક્રમની વાત છે.
-આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭ (૩૪૬)
પ્રશ્ન:- મધ્યસ્થતાનો શું અર્થ થાય ? શું ૫દ્રવ્યની સામે જોઈને તેના પ્રત્યે મધ્યસ્થતા થઈ શકે છે?
ઉત્ત૨:- ખરેખર પરદ્રવ્ય સામે જોઈને તેના પ્રત્યે મધ્યસ્થ થવાતું નથી, પણ સ્વદ્રવ્યમાં લીન રહેતાં સમસ્ત પદ્રવ્યો પ્રત્યે મધ્યસ્થતા થઈ જાય છે. સ્વદ્રવ્યમાં લીન રહેવું તે અસ્તિ છે ને ૫૨દ્રવ્ય પ્રત્યે મધ્યસ્થતા થવી તે નાસ્તિ છે.
હું સમસ્ત ૫૨દ્રવ્યો પ્રત્યે અત્યંત મધ્યસ્થ થાઉં છું–એમ કહ્યું; ત્યાં દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધા, નવતત્ત્વનું જ્ઞાન અને પંચમહાવ્રતરૂપ વ્યવહારરત્નત્રયનો આશ્રય પણ અહીં કાઢી નાખ્યો. વ્યવહારરત્નત્રય પણ પરદ્રવ્યના અવલંબને છે, માટે તે પ્રત્યે પણ હું મધ્યસ્થ છું, એટલે તે વ્યવહારત્નત્રયનું અવલંબન છોડીને અભેદ આત્માનો જ આશ્રય કરું છું, શાસ્ત્રમાં વ્યવહા૨૨ત્નત્રયને નિશ્ચયરત્નત્રયનું કારણ કહ્યું હોય તે વાત ઉપચારની છે; અહીં વ્યવહારત્નત્રયને હૈય કહીને તેનો આશ્રય છોડાવ્યો છે; કેમકે ખરેખર વ્યવહા૨૨ત્નત્રયનું તે નિશ્ચયરત્નત્રયનું કારણ નથી પણ સ્વદ્રવ્યાનુસાર પરિણતિ તે જ નિશ્ચયરત્નત્રયનું (શુદ્ધોપયોગનું) કારણ છે. વ્યવહા૨૨ત્નત્રય તે શુભોપયોગરૂપ છે ને નિશ્ચયરત્નત્રય તે શુદ્ધોપયોગરૂપ છે.
-આત્મધર્મ અંક ૯૪, શ્રાવણ ૨૪૭૭, પૃષ્ઠ ૨૦૪ (૩૪૭)
પ્રશ્ન:- “ રાગદ્વેષ તો ધર્મ નહિ-અધર્મ છે” એમ આપ કહો છો માટે જ્યાં રાગદ્વેષ હોય ત્યાં ધર્મનો અંશ પણ ન હોવો જોઈએ ?
ઉત્ત૨:- નીચલી દશામાં સમ્યગ્નાનની સાથે અલ્પ રાગદ્વેષ પણ હોય છે, પણ જ્ઞાની જાણે છે કે તે અધર્મ છે, જેટલું રાગરહિત સ્વસંવેદન થયું તેટલો જ ધર્મ છે. કોઈ એમ કહે કે ‘રાગ-દ્વેષ તો અધર્મ છે માટે જ્યાં રાગ-દ્વેષ હોય ત્યાં ધર્મનો અંશ પણ ન હોય.'–તો એમ નથી. રાગ-દ્વેષ પોતે ધર્મ નથી એ વાત સાચી, પણ અલ્પ રાગ-દ્વેષ હોવાં છતાં સમ્યક્શ્રદ્ધા-જ્ઞાનરૂપ ધર્મ હોઈ શકે છે. રાગને ધર્મ માને તો તે શ્રદ્ધા-જ્ઞાન પણ મિથ્યા જ છે. પરંતુ રાગરહિત જ્ઞાનસ્વભાવને જાણીને તેની શ્રદ્ધા થઈ હોય ને રાગ સર્વથા ટળ્યો ન હોય તો તેથી કાંઈ શ્રદ્ધા-જ્ઞાન મિથ્યા થઈ જતા નથી. તેમ જ ત્યાં રાગ-દ્વેષરૂપ અધર્મ છે માટે સભ્યશ્રદ્ધા-જ્ઞાનમાં ખામી છે એમ પણ નથી; રાગદ્વેષ હોવા છતાં શાયકશ્રદ્ધા પણ હોય છે. કેમકે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર વગેરે અનંતગુણો
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com