________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭)
સભ્યચારિત્ર ( ૩૧૦)
પ્રશ્ન:- ધર્મ શું છે?-અર્થાત્ સાક્ષાત્ મોક્ષમાર્ગ શું છે?
ઉત્ત૨:- ચરિત્ત હનુ ધમ્મો અર્થાત્ ચારિત્ર તે ખરેખર ધર્મ છે, તે જ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે.
-આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ ૫ ( ૩૧૧ )
પ્રશ્ન:- ચારિત્ર એટલે શું?
ઉત્તર:- શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મામાં ચરવું-પ્રવર્તવું તે ચારિત્ર છે.
-આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૭૬, પૃષ્ઠ ૫ (૩૧૨ )
પ્રશ્ન:- આવા ચારિત્ર માટે પહેલાં શું હોવું જોઈએ ?
ઉત્તર:- ચારિત્ર માટે પ્રથમ તો સ્વ-૫૨ના યથાર્થ સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ; કેમકે જેમાં એકાગ્ર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કર્યા વગર તેમાં સ્થિર ક્યાંથી થાય ? માટે પ્રથમ જેમાં સ્થિર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ.
-આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ ૫ ( ૩૧૩ )
પ્રશ્ન:- વરિત વસ્તુ ધો અર્થાત્ ચારિત્ર તે ખરેખર ધર્મ છે, એમ કહ્યું તે ચારિત્રનું સ્વરૂપ શું છે. આવા ચારિત્ર માટે પહેલાં શું હોવું જોઈએ ?
ઉત્તરઃ- શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મામાં ચરવું-પ્રવર્તવું તે ચારિત્ર છે. ચારિત્ર માટે પ્રથમ તો સ્વ-પરના યથાર્થ સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ; કેમ કે જેમાં એકાગ્ર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કર્યા વગર તેમાં સ્થિર ક્યાંથી થાય ? માટે પ્રથમ જેમાં સ્થિર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ.
-આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ ૫
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com