________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭૪ વિકલ્પ ઉઠતા હતા-નિશ્ચયનયના-વ્યવહારનયના એ છૂટી એકલું જ્ઞાન રહ્યું-એ એકલા જ્ઞાનમાં આનંદ આવે છે.
પરિણામનો કર્તા પરિણામ છે એ સ્વભાવથી જ છે. - નિશ્ચયનયે પર્યાય પર્યાયને કરે છે એમ પણ ન લેવું. જો નિશ્ચયનયે પર્યાયનો કર્તા પર્યાય છે એમ લેશો તો વ્યવહારનયે આત્મા પર્યાયનો કર્તા છે એવો ઉપચારનો દોષ આવી જશે.
માટે પર્યાયનો કર્તા પર્યાય સ્વભાવથી જ છે. નિશ્ચયનયે પર્યાય પર્યાયને કરે છે એમ પણ ન લેવું. કોઈ નયથી સ્વરૂપની પ્રાપ્તિ નથી..... જ્ઞાનથી સ્વરૂપની પ્રાપ્તિ છે. સ્વભાવથી સ્વભાવની પ્રાપ્તિ છે.
પર્યાયને એના સ્વભાવથી જોતાં એની કરવાની બુદ્ધિ છૂટી જાય છે. ને કરવાનો ઉપચાર પણ છૂટી જાય છે.
કાર્ય સ્વયં થતું હોય એમાં બીજો કરે એવા ઉપચારનો અવકાશ ન ક્યાં છે? બસ સ્વયંથી થાય છે. આત્મા જ્ઞાતા થઈ જાય છે.
નયના વિકલ્પોમાં એ વિકલ્પનો કર્તા બની જાય છે, રાગનો કર્તા બની જાય છે. એને ખબર જ નથી પડતી. જો વિકલ્પ છૂટે તો જ્ઞાન પ્રગટ થાય, તો જ્ઞાનનો કર્તા બને. જ્ઞાતા થઈ જાય છે-આ રહસ્ય છે.
શ્રી સમયસાર શ્લોક-૯૫ શ્લોકાર્થ: (વિજ્યવ: પરું વર્તા) વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને (વિવ7: વોવનમ વર્મ) વિકલ્પ જ કેવળ કર્મ છે; (બીજા કોઈ કર્તા-કર્મ નથી; ) (સવિકલ્પચ) જે જીવ વિકલ્પસહિત છે તેનું (વર્તુવનં) કર્તાકર્મપણું (ગીત) કદી (નશ્યતિ નો નાશ પામતું નથી.
ભાવાર્થ- જ્યાં સુધી વિકલ્પભાવ છે ત્યાં સુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે. ૯૫.
નયથી વસ્તુની સિદ્ધિ કરે છે તો વિકલ્પોનો કર્તા બને છે. નયોથી ભિન્ન સ્વભાવથી વસ્તુને સિદ્ધ કરો તો નયના વિકલ્પ રહિત જ્ઞાન પ્રગટ થાય છે, જે દ્રવ્યસ્વભાવને તો જાણે છે પણ પર્યાય સ્વભાવ પણ જેમ છે તેમ એમાં જણાઈ જાય છે. જ્ઞાન વિકલ્પ વિનાનું “મધ્યસ્થ થયું. વિકલ્પમાં પક્ષપાત હતો એટલે કે રાગ-દ્વેષ હતાં, ક્રમે ક્રમે જાણતો હતો. નયોથી છૂટું પડેલું જ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com