SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭૩ કોઈ નયની અપેક્ષા નથી, આમ તમે નયોના વિકલ્પોને ઓળંગી એકદમ સ્વભાવની સન્મુખ થાઓ તો વિકલ્પ છૂટી અનુભવ થાય. ગઈકાલે દ્રવ્યસ્વભાવને પ્રસિદ્ધ કરનારી નિશ્ચયનયના વિકલ્પોને દ્રવ્યસ્વભાવની મુખ્યતાથી ઓળંગી જવાની વાત કરી હતી. .. આજે બીજું પડખું વ્યવહારનયનું છે. પર્યાયો સ્વભાવથી જ ક્રિયાવંત છે. ક્રિયાના કારક સ્વભાવથી જ પર્યાયમાં છે. ત્યાં હવે તમે કહો કે આત્મા વ્યવહારનયે પર્યાયને કરે છે તો એ વાત બરાબર નથી. પર્યાય સ્વભાવથી જ એના કારકથી પરિણમે છે. એને વ્યવહારથી આત્મા કર્તા છે એવો જે ઉપચાર આવતો હતો એને ઓળંગી પર્યાયને પર્યાયના સ્વભાવથી જુઓ. પર્યાયને નયથી ન જુઓ. અરે! પર્યાયનો કર્તા પર્યાય નિશ્ચયનય છે એમ પણ ન જુઓ. કેમ એમાં શું દોષ આવે છે? –અરે! એનો પ્રતિપક્ષ ઊભો થાય છે. આત્મા વ્યવહારનયે પર્યાયને કરે છે એ મોટો દોષ આવી પડે છે. આ ખૂબ ભયંકર દોષ છે. પર્યાયમાં ક્રિયા થયા જ કરે છે પર્યાયનો સ્વભાવ જ કર્તાપણું છે. જેમ દ્રવ્યનો સ્વભાવ અકર્તાપણું છે. એ કઈ નયથી અકર્તાપણું છે? એમ નહીં. સ્વભાવથી જ અકર્તા છે. એમ પર્યાય કઈ નથી કર્તા છે? એમ નહીં. સ્વભાવથી જ કર્તા છે. સ્વભાવથી જ પર્યાયમાં ક્રિયા થયા કરે છે. અવિરતપણે થયા કરે છે. એને રોકી ન શકાય, વિકારી કે અધિકારી એમ ન લેવું. સામાન્ય ક્રિયા-ઉત્પાદ-વ્યય. પર્યાય પોતાના સ્વભાવથી જ પરિણમે છે. એમ પર્યાયને પર્યાયના સ્વભાવથી જોતાં, આત્મા વ્યવહારથી પર્યાયને કરે છે ને કર્તાપણાનો ઉપચાર નીકળી જાય છે. જેમકે જ્ઞાનની પર્યાય સમયે સમયે પ્રગટે છે. તો આત્મા કઈ નયે જ્ઞાનની પર્યાયને કરે છે? તો કહે છે કે વ્યવહારનયે આત્મા જ્ઞાનની પર્યાયનો કર્તા છે, નિશ્ચયનયે તો આત્મા જ્ઞાનની પર્યાયનો પણ અકર્તા જ છે. હવે આ જે વ્યવહારનયે કર્તાપણાનો ઉપચાર આવે છે એને ઓળંગી જાઓ કે પર્યાયમાં તો કાર્ય પર્યાયના સ્વભાવથી જ થાય છે તો અરે! વ્યવહારનયે આત્મા કર્તા છે એ ઉપચાર ખોટો થયો, તો જે નયોના વિકલ્પ ઉઠતા હતા તે છૂટી અંદરમાં ચાલ્યો ગયો. ત્યારે પર્યાયના સ્વભાવનો પણ જ્ઞાતા થઈ જાય છે. દ્રવ્યસ્વભાવનો જ્ઞાતા અને પર્યાયસ્વભાવનો પણ જ્ઞાતા–વચ્ચે જે નયોના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy