SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭ર ૧. “આત્મા સ્વભાવથી જ અકર્તા છે.”—અહીં નિશ્ચયનયે આત્મા અકર્તા છે એનો નિષેધ થયો. ૨. “પર્યાય સ્વભાવથી જ કર્તા છે.' –અહીં વ્યવહારનયે આત્મા કર્તા છે એનો નિષેધ થયો –બંને નય ઓળંગી ગયો. સાક્ષાત્ જ્ઞાતા થઈ ગયો બસ સ્વભાવમાં આવી ગયો. દ્રવ્યસ્વભાવમાં બેઠો બેઠો પર્યાય સ્વભાવને જાણી લે છે. દ્રવ્યસ્વભાવને નિશ્ચયનયે નક્કી કરવા ગયો તો સ્વભાવ દૂર રહી ગયો. દ્રવ્યસ્વભાવને સ્વભાવથી જ જ્યાં નક્કી કર્યો તો નિશ્ચયનય દૂર થઈ ગઈ. આત્માને વ્યવહારથી કર્તા કહ્યો તો પર્યાય સ્વભાવ ખ્યાલમાં ન આવ્યો ને પર્યાય સ્વભાવ ખ્યાલમાં આવ્યો તો ઉપચાર ઓળંગી ગયો. આહાહા.... કર્તાપણાનો ઉપચાર ક્યાં ગયો ત્યાં સાક્ષાત્ જ્ઞાતા’ થયો. આ આત્મા સ્વભાવથી જ અકારક-અવેદક છે. એને સમજાવવા માટે નયથી સમજાવે છે પણ નથી સમજતાં વિકલ્પની ઉત્પત્તિ થાય છે. આત્મા સુધી ઉપયોગ પહોંચી શકતો નથી, જ્ઞાન લંબાઈ ને આત્માથી અભેદ થઈ અનુભવ થવો જોઈએ, પરંતુ નયના વિકલ્પો અનુભવમાં બાધક થાય છે. જીવ પક્ષાતિક્રાંત થઈ શકતો નથી, વ્યવહારનય તો અન્યથા કથન કરે છે. પણ નિશ્ચયનય તો સાચું કથન કરે છે. જેવો આત્મા છે એવું કથન કરે છે. માટે એ નય દ્વારા નિર્ણય થાય પણ સ્વભાવથી દૂર રહીને સ્વભાવ બતાવે છે. એ નય સ્વભાવથી તન્મય થતી નથી. નય વિકલ્પાત્મક છે. માત્ર અંગુલી નિર્દેશ કરે પણ ત્યાં સુધી પહોંચવા છતાં પણ અનુભવ ન થાય. પ્રશ્ન- તો પછી એ નયના વિકલ્પ કેમ છૂટે ? ઉત્તર- નયનું અવલંબન લઈને જે નિર્ણય થયો હતો એ નયને છોડીને તમે સ્વભાવ તરફ ચાલ્યા જાઓ. આત્મા નિશ્ચયનયથી અકર્તા નથી, સ્વભાવથી જ અકર્તા છે. આત્મા નિશ્ચયનયથી શુદ્ધ નથી, સ્વભાવથી જ શુદ્ધ છે. અનાદિઅનંત સ્વભાવથી જ મુક્ત છે, પરિપૂર્ણ છે. આમ સ્વભાવના આશ્રયથી નયોના વિકલ્પ છૂટી સીધો અનુભવ થઈ શકે છે. નયાતિક્રાંત થવાની આ વિધિ છે. જેમકે અગ્નિ ઉષ્ણ છે. કઈ નયે? અરે! સ્વભાવથી જ અગ્નિ ઉષ્ણ છે. એને કહેવા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy