________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૯ વ્યવહારનય નિશ્ચયનયના દ્વારા નિષેધ્ય છે અને નિશ્ચયનય સ્વભાવના દ્વારા નિષેધ્ય છે.
“નય' છે એ નિર્ણય કરવા માટે છે. અપૂર્વ નિર્ણય આવે છે-પરોક્ષ અનુભૂતિ થાય છે પણ એમાં આનંદ નથી. જ્ઞાન છે એ અનુભવ માટે છે. પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે- એમાં આનંદ આવે છે.
વ્યવહારદષ્ટિ તે મિથ્યાદષ્ટિ અને નિશ્ચયદષ્ટિ તે સમ્યગ્દષ્ટિ એમ આવે છે. (પણ) નિરપેક્ષ દષ્ટિ તે સમ્યગ્દષ્ટિ. બસ નિરપેક્ષતામાં બે નયપક્ષ ઊભા જ ન થાય. અહીં નયાતીત થવાની વાત છે.
નિશ્ચયનયથી એક જ ધર્મ ખ્યાલમાં આવે છે અને સ્વભાવની સમીપ જઈને જુએ છે તો આખો સ્વભાવ ખ્યાલમાં આવે છે. પરિપૂર્ણ સ્વભાવની પ્રાપ્તિ સ્વભાવદષ્ટિમાં થાય છે. નય દૃષ્ટિથી માત્ર એક જ ધર્મની સિદ્ધિ થાય છે, તેથી બીજા ધર્મોને જાણવાની આકુળતા ઉત્પન્ન થાય છે. નયમાં વિકલ્પની ઉત્પત્તિ થાય છે એનું કારણ જ એ છે કે નયનો ધર્મ એક એક ધર્મને જાણવાનો છે. જ્યારે સ્વભાવની સમીપ જઈને જુએ છે તો આખો સ્વભાવ જણાય છે. અને કંઈપણ જાણવું બાકી નહીં રહેતું હોવાથી નયપક્ષના વિકલ્પ ઉત્પન્ન જ થતાં નથી. વિષયનો પ્રતિબંધ છૂટી જાય છે અને અનુભવ થઈ જાય છે. ત્યારે ધ્યેયપૂર્વક આખો સામાન્ય-વિશેષાત્મક આત્મા જ્ઞાનનું ય થાય છે. માટે સ્વભાવની દષ્ટિ થતાં જ પક્ષાંતિક્રાંત થવાય છે. પરંતુ નિશ્ચયનયથી પક્ષીતિક્રાંત થવાતું નથી.
જે આત્મા સ્વભાવથી જ શુદ્ધ છે એને કોઈ નય દ્વારા શુદ્ધ કહેવો એ બરાબર નથી. આત્મા નિશ્ચયનયથી શુદ્ધ છે, એ કથન સાચું છે પણ એમાં અનુભવ નથી. પરંતુ એ કથન દ્વારા સ્વભાવનું માત્ર અનુમાન જ થઈ શકે છે.
આત્મા નિશ્ચયનયે શુદ્ધ છે એમ નહીં પણ સ્વભાવથી જ શુદ્ધ છે. સીધા સ્વભાવને જ જુઓ તો જે નયના માધ્યમ દ્વારા વિકલ્પ આવતા હતા, એ વિકલ્પ છૂટી જશે. સ્વભાવથી વિચારતાં વચ્ચે જે નય આવતી હતી એ નીકળી જશે, એકલું જ્ઞાન રહી જશે અને અનુભવ થઈ જશે. સ્વભાવથી સ્વભાવ વિચારો (અને) નયના માધ્યમને વિકલ્પને રહેવા દો.
હું સ્વભાવથી જ શુદ્ધ છું” એમાં વ્યવહારનયે અશુદ્ધ છું, એ દોષ છૂટી જાય છે અને નિશ્ચયનયે શુદ્ધ છું એ વિકલ્પ છૂટી જાય છે.”
નય છે એ વિકલ્પ છે. જેમ રાગથી અનુભવ ન થાય એમ નથી પણ અનુભવ ન થાય. નયનો વિકલ્પ છે ત્યાં સુધી અનુભવ ન થાય. કારણકે આડકતરી રીતે રાગની સાથે કર્તાકર્મની પ્રવૃત્તિ ચાલુ જ રહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com