________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૮
કર. ખરેખર તો સ્વભાવની સમીપે જતાં નિશ્ચયનયના વિકલ્પ ઉદિત જ થતા નથી, એ જ એનો નિષેધ છે.
જેમ નિશ્ચયનયમાં આવતાં વ્યવહારનયના વિકલ્પ છૂટી જાય છે, એમ સ્વભાવમાં આવતાં નિશ્ચયનયના વિકલ્પ છૂટે છે. જેને આ સ્વભાવનો પક્ષ આવે છે એ હવે નિશ્ચયનયના પક્ષનો-કથનનો નિષેધ કરે છે. નિશ્ચયનયથી વ્યવહારનયનો નિષેધ અને સ્વભાવથી નિશ્ચયનયનો નિષેધ ! નય તો “સ્વભાવ” માં આવતી નથી, બહાર રહી જાય છે. સ્વભાવમાં તો નય નથી પણ સ્વાભાવિક જ્ઞાન અને દષ્ટિમાં પણ નય નથી. જ્ઞાયકમાં તો નય ન જ હોય પણ જ્ઞાનમાં પણ નય ન હોય. કેમ કે અતીન્દ્રિય જ્ઞાન અભેદથી પોતે જ્ઞાયક જ છે ને! તેથી એમાં નય નથી. અહાહા... બીજી રીતે કહીએ તો અજ્ઞાનમાં નય છે. (એટલે કે જ્યાં સુધી નયના વિકલ્પ છે, ત્યાં સુધી અજ્ઞાન છે. કારણકે ત્યાં સુધી વિકલ્પની સાથે કર્તાકર્મની પ્રવૃત્તિ રહે છે.)
જ્ઞાયકસ્વભાવ નયોથી પાર છે. અરે ! આ આપ શું કહો છો? નય તો જ્ઞાનમાં હોય અને જ્ઞાનથી જ્ઞાયકનો અનુભવ થાય છે. (આ અભ્યાસી જિજ્ઞાસુની દલીલ છે. )
(તેની સામે જ્ઞાની જણાવે છે ) પ્રભુ! જ્ઞાનમાં નય ન જ હોય. જ્ઞાયકમાં તો નય નથી જ પરંતુ જ્ઞાનમાં પણ નય ન હોય.
સ્વભાવથી વાત આવે એમાં એકલો સ્વભાવ જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. નયથી સ્વભાવ વિચારવો અને સ્વભાવથી સ્વભાવ વિચારવો એ વિચારકોટિમાં પણ મોટો ફેર છે. સ્વભાવ પોતાનો વિશ્વાસ અને જ્ઞાનનું વજન ખમી શકે છે. પરંતુ નય એ વજન ખમી શકતી નથી, કેમ કે નય સાપેક્ષ છે.
દ્રવ્યલિંગીની આ જ ભૂલ છે. એ દ્રવ્યની નિરપેક્ષતામાં આવી શકતો નથી તેમજ પર્યાયની નિરપેક્ષતામાં પણ આવી શકતો નથી. એ દ્રવ્યને પણ સાપેક્ષ જુએ છે અને પર્યાયને પણ સાપેક્ષ જુએ છે.
જ્ઞાન નિશ્ચયનયથી આત્માને જાણે છે એ પણ એક જાતની સાપેક્ષતા જ છે. જ્ઞાન સ્વભાવથી જ આત્માને જાણે છે. સ્વભાવ કહેતાં નિરપેક્ષતા જ આવે છે. સંસારનો થાક ઉતરી જાય એવી વાત છે. આ રહસ્ય ખ્યાલમાં આવતાં અલ્પકાળમાં મુક્તિ થાય.
નિશ્ચયનયે શુદ્ધ કહેતાં, કોઈ નયે અશુદ્ધ છે એમ આવી જશે. નિશ્ચયનયે નિત્ય કહેતાં, કોઈ નયે અનિત્ય છે એમ આવી જશે. કેમકે નય સાપેક્ષ હોય છે અને સ્વભાવ તો નિરપેક્ષ છે.
નય સ્વભાવથી જ સાપેક્ષ હોય છે અને સ્વભાવ સ્વભાવથી જ અત્યંત નિરપેક્ષ હોય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com