SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૭ સ્વભાવથી સ્વીકારે એની જાત જ જુદા પ્રકારની છે, સ્વભાવથી સ્વીકારે એનું નામ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. સ્વભાવને સ્વીકારતાં તારી વિચાર કોટિ બદલી જશે. નયથી વિચારતો હતો તે સ્વભાવથી વિચારતો થઈ જઈશ. * આત્મા શુદ્ધ છે. કઈ નયથી ? આત્મા સ્વભાવથી જ શુદ્ધ છે. * આત્મા મુક્ત છે. કઈ નયથી ? આત્મા સ્વભાવથી જ મુક્ત છે. * આત્મા પરિપૂર્ણ છે. કઈ નયથી ? આત્મા સ્વભાવથી જ પરિપૂર્ણ છે. સ્વભાવની સિદ્ધિ માટે નય નથી. સ્વભાવથી જ સ્વભાવની સિદ્ધિ થાય છે. નયથી સ્વભાવની સિદ્ધિ ન થાય. નયથી તો સ્વભાવનું માત્ર અનુમાન થાય, પણ અનુભવ ન થાય. દ્રવ્યલિંગી મુનિ અહીં ભૂલ્યો, અહીં રોકાણો. એને એમ સાચું લાગ્યું કે હું તો નિશ્ચયનયે શુદ્ધ છું-અકર્તા છું. જેવો સ્વભાવ છે, એવા જ સ્વભાવને હું નિશ્ચયનય વડે જાણું છું, માનું છું. આ દ્રવ્યલિંગીની સૂક્ષ્મ ભૂલ છે અને અનુભવી ભૂલને ભાંગી નાખે છે. જ્યારે દ્રવ્યલિંગી ભૂલને ભાંગી શકતો નથી. કેમ કે એ નયના સહારે સ્વભાવનો વિચાર કરે છે. નયની મદદ લે છે. સાપેક્ષ સ્વરૂપ લક્ષમાં લ્યે છે પરંતુ સ્વરૂપ નિરપેક્ષ છે. સ્વરૂપને કોઈના સહારાની જરૂરત નથી. આત્મા બંધ અને મોક્ષના ભાવથી રહિત છે, તે આ. નયથી બંધ, મોક્ષની સિદ્ધિ થાય છે. જ્યારે સ્વભાવથી બંધ-મોક્ષની સિદ્ધિ જ થતી નથી. હું તો સ્વભાવથી જ અનાદિ અનંત મુક્ત છું. આત્મા કર્તા છે એ એક પક્ષ છે. આત્મા અકર્તા છે એ બીજો પક્ષ છે. ચિસ્વરૂપ જીવ વિષે નયોના આ બે પક્ષપાત છે. ખરેખર તો તત્ત્વવેદી એમ જાણે છે કે ચિસ્વરૂપ જીવ તો ચિત્સ્વરૂપ જ છે. વ્યવહારનયનો નિષેધ તો પહેલેથી કરતા આવ્યા છીએ. આ તો નિશ્ચયનયના નિષેધનો કાળ આવ્યો છે. આત્મા નિશ્ચયનયે શુદ્ધ છે, અકર્તા છે, અબદ્ધ છે-એમ નથી. આત્મા તો સ્વભાવથી જ શુદ્ધ છે, અકર્તા છે, અબદ્ધ છે. જો નિશ્ચયનયે અબદ્ધ લેશો, તો વ્યવહારનયે બંધાયેલો સિદ્ધ થઈ જશે. અરે! હું આત્મા સ્વભાવથી જ મુક્ત છું. બંધાણો જ નથી ને. વ્યવહારનયના તો પડખે જ ચડવા જેવું નથી કેમકે એ તો અન્યથા કથન કરે છે. જ્યારે નિશ્ચયનય સ્વરૂપનું અનુમાન તો કરાવે છે, પણ એની મર્યાદા સમજી લે. એ નિશ્ચયનયના પક્ષનો પણ નિષેધ કર. સ્વભાવની સન્મુખ જઈને નિશ્ચયનયના વિકલ્પને તોડી નાખ, નિષેધ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy