________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૬ સમ્યગ્દર્શન ન થાય ત્યાં નયથી ચારિત્ર તો કેમ આવે? તેથી જ્ઞાનીઓ પણ ઠરી જાય છે. કોઈકને જ સમજાવવાનો કે લખવાનો વિકલ્પ ઉઠ છે. સમર્થ આચાર્યોને પણ સમજાવવા માટે નયનો પ્રયોગ કરવો પડે છે, જે એમને પણ ખટકે છે. કેમ કે નયથી સ્વભાવ પ્રસિદ્ધ જ થતો નથી. પરંતુ જ્ઞાનથી સ્વભાવ પ્રસિદ્ધ થાય છે. ખરેખર બીજાને સમજાવવા માટે નયનો પ્રયોગ કરવો પડે છે. તેથી શ્રી પૂજ્યપાદસ્વામીએ કહ્યું કે, બીજાને સમજાવવું એ પાગલપણું છે. સમજાવવું અને સાંભળવું બન્ને પાગલપણું છે.
નયના પ્રયોગમાં વિકલ્પ જ ઉત્પન્ન થાય છે. સ્વભાવની સમીપે જાય છે, તો વિકલ્પ ઊઠતા જ નથી.
નિશ્ચયનય માત્ર તારા સ્વભાવ તરફ ઈશારો કરે છે કે આવું તારું સ્વરૂપ છે. પછી એ નયને તું છોડી દે અને સ્વભાવમાં ચાલ્યો જા.
દષ્ટાંત- બીજનો ચાંદ ઉગે છે એ કોઈને દેખાય છે અને કોઈને દેખાતો નથી. હવે જે ચાંદને દેખવાવાળો છે એ બીજાને ચાંદ દેખાડવા ઝાડના માધ્યમ દ્વારા પ્રયત્ન કરે છે. આ જે ઝાડ છે ને, એની આ જે પેલી છેલ્લી ડાળી દેખાય છે ને...... ઉપરની છેલ્લી એને તું જો અને પછી એની લાઈનમાં જ સીધું ઉપર જો તો તને ચાંદ દેખાશે. હવે પેલો તો ડાળીને જ વળગી પડ્યો (અને) કહે છે, મને ચાંદ દેખાતો નથી. અરે! તને મેં ડાળી દ્વારા, ડાળીને છોડીને, ચાંદને જોવાનું કહ્યું હતું. તું તો ડાળીને જ વળગી પડ્યો તો ચાંદ કેમ દેખાશે? એને ચાંદ ન જ દેખાય. એમ નય દ્વારા સ્વભાવનું અનુમાન માત્ર કરાવે છે, તો એ તો નયને જ વળગી પડ્યો કે-હું નિશ્ચયનયે અકર્તા છું હું નિશ્ચય નયે જ્ઞાતા છુંનિશ્ચયનયે જ્ઞાતા છું –નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે. નય તો ડાળી છે. જે નહીં તહીં જોતો હતો અને દિશા સૂચન કરવા ડાળી દ્વારા ચાંદને જોવાનું કહ્યું.
વ્યવહારનય દ્વારા તો અનુમાન થતું જ નથી- એની તો દિશા જ વિપરીત છે. તેથી પ્રથમ નિશ્ચયનય દ્વારા સ્વભાવનું અનુમાન કરાવે છે કે તું નિશ્ચયનયે અકર્તા જ છો. પછી નિશ્ચયનયને છોડી દે. “હું તો સ્વભાવથી જ અકર્તા છું- 'તો અકર્તાનો વિકલ્પ છૂટી જાય છે અને અનુભવ થાય છે.
નિશ્ચયનયથી જ્ઞાન આત્માને જાણે છે. એટલે જ્ઞાન પરને જાણતું નથી. આ રીતે નિશ્ચયનય વ્યવહારનો નિષેધ કરે છે. એ વિધિ-નિષેધ નયમાં છે. પરંતુ સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણી રહ્યું છે. એમાં વિધિ-નિષેઘના વિકલ્પ બન્ને એક સાથે જાય છે. અનંતાનુબંધીના રાગ દ્વેષ-વિધિનો રાગ અને નિષેધનો દ્વેષ બન્ને ગળતા ગળતા ટળી જાય છે ને સ્વભાવમાં આવી જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com