________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૫ “હું નિશ્ચયનયે અકર્તા છું” તો વ્યવહારનયે કર્તા છું એમ આવી જ જાય, ખબર ન પડે. તેથી હું નિશ્ચયનયે” અકર્તા નથી સ્વભાવથી જ અકર્તા છું. હું વ્યવહારનયે તો અકર્તા નથી જ, પણ નિશ્ચયનયે પણ અકર્તા નથી. હું તો સ્વભાવથી જ અકર્તા છું.
નિશ્ચયનયે' જ્ઞાન આત્માને જાણે છે.? નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણતું જ નથી. અરે ! આ શું કહો છો? હા, સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણતું પરિણમી રહ્યું છે.
હિંમતનગરમાં ફરમાવ્યું હતું, દ્રવ્યસ્વભાવ અનાદિ અનંત જ્ઞાનમાં જણાયા કરે છે અને જ્ઞાન અનાદિ અનંત આત્માને જાણ્યા જ કરે છે. આ FUNCTION ( ક્રિયા) અનાદિ અનંત ચાલુ જ છે. આ વસ્તુસ્થિતિનો સ્વીકાર કરી લે તો અનુભવ થશે.
ખરેખર તો “નિશ્ચયનયનો જે પક્ષ-વિકલ્પ છે તે સ્વભાવના ઓથે ગળે છે અને સ્વભાવનો “આશ્રય” લેતાં એ પક્ષ ટળી જાય છે. અને નયાતિકાંત થાય છે. નિશ્ચયનય' પક્ષીતિક્રાંત કરાવી, આનંદની પ્રાપ્તિ કરાવી ચાલી જાય છે. ઊભી ક્યાં રહે છે? જ્યાં પોતે સ્વભાવની સન્મુખ થાય છે, ત્યાં નિશ્ચયનયનો પક્ષ પણ ઉત્પન્ન થતો નથી. નયપક્ષ તો પરાશ્રિત છે. વ્યવહારનય તો પરાશ્રિત છે જ પણ નિશ્ચયનય પણ પરાશ્રિત જ છે. વિકલ્પ માત્ર પરાશ્રિત જ હોય અને સ્વાશ્રિત ન હોય. (મનના સંગવાળો વિકલ્પ હોવાથી પરાશ્રિત જ છે. )
અતીન્દ્રિય જ્ઞાન આત્માને નિશ્ચયનયથી જાણતું નથી પરંતુ સ્વભાવથી જાણે છે. એમાં નયનું શું કામ આવ્યું? જ્ઞાન સ્વભાવથી જ આત્માને જાણે છે. એમ ખ્યાલમાં આવ્યું એનું નામ “જ્ઞાનની પર્યાયનો નિશ્ચય” -અનુભવમાં પ્રગટ થાય છે.
“જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક તો જ્ઞાયક છે” બસ પરને જાણવાનો પક્ષ હતો તે છૂટી ગયો, જ્ઞાયક પરને જાણતો નથી એટલું કહ્યું- જ્ઞાયક જ્ઞાયકને જાણે છે એવો નિશ્ચયનય છે- એમ ન લીધું નિશ્ચયનયથી જ્ઞાયક જ્ઞાયકને જાણે છે એમ નહીં પરંતુ જ્ઞાયક તો જ્ઞાયક છે, બસ. જ્ઞાનની પર્યાય સ્વભાવથી જ આત્માને જાણ્યા કરે છે. એમાં નયની કોઈ જરૂરત જ નથી. આબાળગોપાળ સૌને આત્મા સદાકાળ અનુભવમાં આવી રહ્યો છે. “સદાકાળ” અર્થાત્ સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણી રહ્યું છે. પણ વ્યવહારથી તો પરને જાણે છે ને? અરે ! પરનું જાણવું સ્વભાવમાં જ નથી. “જ્ઞાયક નથી ત્યમ પર તણો” –ખલાસ થઈ ગઈ વાત.
નયાતીતમાં જેમ અનુભવ આવે છે, એમ નયાતીતમાં જ શ્રેણી આવે છે. નયથી જ્યાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com