________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૩
છે. અનુભવ માટે નય સાધન જ નથી. નય માત્ર અનુમાન સુધી લઈ જાય છે, એ અનુભવ ન કરાવી શકે.
જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે એમ વિચારતાં વ્યવહારનયથી એ પરને જાણે છે, એમ આવી ગયું. અરે ! નિશ્ચયનયથી જ્ઞાન આત્માને નથી જાણતું, સ્વભાવથી જ જાણે છે. તો કોઈ નય જ ન રહી; સ્વભાવ હાથમાં આવી ગયો. આ વાત કોઈ અપૂર્વ છે. નયાતીત થવા માટેની આ વાત છે. સ્વભાવથી જ સ્વભાવ જણાયનયથી સ્વભાવની પ્રસિદ્ધિ જ ન થઈ. નય સાધન જ નથી. જો નય સાધન હોય તો તો પક્ષાતિકાંત થવાના કાળે નય રહેવી જોઈએ. પરંતુ ત્યારે કોઈ નય રહેતી નથી. માટે નય સ્વભાવની પ્રસિદ્ધિ માટેનું સાધન જ નથી.
જેમકે સૂર્ય પ્રકાશનો પૂંજ છે. કઈ નયથી? અરે ! સ્વભાવથી જ સૂર્ય પ્રકાશનો પૂંજ છે. વળી પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે, કઈ નયથી? અરે ! સ્વભાવથી જ પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે. હવે જે સ્વભાવથી જ છે, ત્યાં નય લાગુ પડતી નથી. નયો તો માત્ર શિષ્યને સમજાવવા માટે છે. બહુ નયના પ્રયોગમાં જવા જેવું નથી.
જો જ્ઞાન નયના પ્રયોગમાં અટકશે તો બીજી પ્રતિપક્ષી નય જ્ઞાનમાં ઉભી થશે. આત્મા “નિશ્ચયનયે” અકર્તા છે. એમાં વિકલ્પ ઉભો થયો. જ્ઞાનની પર્યાય “નિશ્ચયનયે” આત્માને જાણે છે એમાં પણ વિકલ્પ ઉભો થયો. નિશ્ચયનયે આત્મા અકર્તા નથી. નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણતું નથી... અરે ! આ શું વાત કરો છો? હા, સાંભળ.
-નિશ્ચયનયે આત્મા અકારક, અવેદક નથી, સ્વભાવથી જ અકારક, અવેદક છે. -નિશ્ચયનયે જ્ઞાન જ્ઞાયકને જાણતું નથી. સ્વભાવથી જ જ્ઞાન શાયકને જાણે છે.
આમ સ્વભાવની સન્મુખ થતાં નયોના વિકલ્પ અસ્ત થઈ જાય છે, શાંત થઈ જાય છે. અને અભેદપણે આત્માનો અનુભવ થાય છે. આ તો સ્વભાવનું જેને ભાન નહોતું અને જે વ્યવહારનયના પક્ષમાં પડ્યો હતો અને નિશ્ચયનય દ્વારા સમજાવે છે. તો એ “નિશ્ચયનય ' ને વળગી પડ્યો. માટે એને હવે કહે છે-જ્ઞાન નિશ્ચયનયે આત્માને જાણતું નથી. અરે ! આ શું કહો છો? શું નિશ્ચયનયે નથી જાણતું, તો શું વ્યવહારનયે જાણે છે? અરે ! તું સાંભળ. હું ત્રીજી વાત કરું છું.
જ્ઞાન, સ્વભાવથી જ આત્માને જાણે છે. એને નય લાગુ પડતી નથી. એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ. બન્નેના સ્વભાવને લક્ષમાં લે તો એક અનુભવ થાય. નયાતીત થવાની આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com