________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૨ ઈશારો કરે છે. પણ નિશ્ચયનયની પહોંચ સ્વભાવ સુધી નથી કેમ કે વસ્તુ નયાતીત છે. અકારક, અવેદક વસ્તુનો સ્વભાવ છે. સ્વભાવ નયથી સિદ્ધ ન થાય, સ્વભાવ સ્વભાવથી જ સિદ્ધ થાય.
આત્મા પર્યાયમાત્રથી ભિન્ન છે માટે એને અનાદિ અનંત કર્તાપણું લાગુ પડતું જ નથી. આત્મા બંધનો કર્તા નથી, અને મોક્ષનો પણ કર્તા નથી. કઈ નથી ? અરે ! સ્વભાવથી જ એ તો અકર્તા છે. કોઈ નય લાગુ પડતી નથી. આ દ્રવ્યસ્વભાવની વાત થઈ.
જ્ઞાનની પર્યાયનો સ્વભાવ આત્મા જ્ઞાતા છે. કઈ નથી ?
અરે! સ્વભાવથી જ જ્ઞાતા છે. વ્યવહારનયે જ્ઞાન પરને જાણે છે અને નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે–એમ નથી. અનાદિ અનંત જ્ઞાનની પર્યાય આત્માને જાણવારૂપે જ પરિણમે છે. એ જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરે છે.
કઈ નયથી જ્ઞાનમાં આત્મા જણાય અને કઈ નયથી ન જણાય? વ્યવહારનયથી ન જણાય અને નિશ્ચયનયથી જણાય –એમ નથી. જ્ઞાન આત્માને સ્વભાવથી જ અનાદિ અનંત પ્રસિદ્ધ કરે છે. એને નયની અપેક્ષા જ નથી. સ્વભાવમાં નય ન હોય અને સ્વભાવની સિદ્ધિ માટે, “નય” માત્ર અંગુલી નિર્દેશ કરે છે. અનુમાન સુધી લઈ જાય છે, બસ.
તું નિશ્ચયનયે અકર્તા છો કે સ્વભાવથી જ અકર્તા છો? હું તો સ્વભાવથી જ અકર્તા છું. પ્રભુ.
બસ, તો નયના વિકલ્પ છૂટી જશે અને તને અનુભવ થઈ જશે. અનુભવની આ વિધિ છે.
જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે કે સ્વભાવથી જાણે છે? –સ્વભાવથી જ જાણે છે, પ્રભુ.
અનાદિ અનંત જ્ઞાન સ્વભાવથી જ આત્માને જાણતું પ્રગટ થાય છે. સ્વભાવથી જાણતો હોય, એમાં નયની અપેક્ષા ન હોય. નય તો માત્ર સ્વભાવનો અંગુલી નિર્દેશ કરે છે. પહેલા વ્યવહારનયનો પક્ષ હતો એને નિશ્ચયનય દ્વારા સમજાવે છે, તો વ્યવહારનો પક્ષ છૂટી જાય છે ને નિશ્ચયનયના પક્ષમાં આવે છે. હવે કોઈ તો સ્વભાવ સુધી પહોંચી પક્ષીતિક્રાંત થઈ અનુભવ કરી લે છે અને કોઈ નિશ્ચયનયના પક્ષમાં અટકી જાય છે, અનુભવ કરી શકતો નથી. હવે જે નિશ્ચયનય દ્વારા સ્વભાવનું અનુમાન કરી, અનુભવમાં ચાલ્યો જાય છે, પક્ષીતિક્રાંત થાય છે, એણે નિશ્ચયનયનો પક્ષ પણ છોડ્યો ત્યારે અનુભવ થયો. નયથી આવો છું, એવો વિકલ્પ છૂટી જાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com