________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૧
6
દ્રવ્ય સ્વભાવ
એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ, બન્ને સ્વભાવથી જ જેવા છે તેવા છે. દ્રવ્યસ્વભાવ એના પોતાના સ્વભાવથી જ અનાદિ અનંત જેવો છે તેવો છે અને જ્ઞાનની પર્યાયનો સ્વભાવ અનાદિ અનંત જેવો છે તેવો છે.
શાસ્ત્રમાં અનેક પ્રકા૨ના કથનો આવશે. જેમકે આત્મા અશુદ્ધ નિશ્ચયનયે રાગનો કર્તા છે અને નિશ્ચયનયે વીતરાગભાવનો કર્તા છે. ભાઈ! આ બધા વ્યવહારનયના કથનો છે એને ઓળંગી જા- આત્મા રાગને કરતો નથી અને વીતરાગભાવને પણ કરતો નથી. આત્મા તો સ્વભાવથી જ અનાદિ અનંત અકારક, અર્વેદક છે.
આત્મા અકારક, અવેદક છે, તો એ કઈ નયથી છે?
અરે ! સ્વભાવને અનુભવવા માટે નયની અપેક્ષા લગાડો નહી, બંધ કરી દો. વ્યવહારનયે આત્મા પરિણામનો કર્તા છે અને નિશ્ચયનયે આત્મા પરિણામનો અકર્તા છે. અરે ! આત્મા નિશ્ચયનયે અકર્તા છે કે સ્વભાવથી જ અકર્તા છે?
ન્યાય: જો નિશ્ચયનયે આત્મા અકર્તા છે એમ તમે લક્ષમાં લેશો, તો આત્મા વ્યવહારનયે કર્તા છે, એ શલ્ય આવ્યા વિના રહેશે જ નહીં તેથી નયથી વિચારો જ નહીં. વસ્તુ નયાતીત છે. દ્રવ્યસ્વભાવ નયથી ખ્યાલમાં નથી આવતો. અનુભવમાં નથી આવતો. કેમકે કોઈ નયથી અકર્તા છે–એમ નથી, સ્વભાવથી જ અકર્તા છે.
આ તો જે બિલકુલ અજાણ શિષ્ય છે, જેને આત્મા ત્રિકાળ અકર્તા હોવા છતાં કર્તાબુદ્ધિ થઈ ગઈ છે એને વ્યવહારનય અને નિશ્ચયનયથી સમજાવે છે. પણ હવે અત્યારે એવો કાળ આવ્યો છે કે આત્મા નિશ્ચયનયે અકર્તા છે-એમ છોડી દો, કેમકે-જો નિશ્ચયનયથી આત્મા અકર્તા છે એમ તમે લેશો તો બીજી પ્રતિપક્ષ નય તમારા જ્ઞાનમાં ઊભી થશે અને મિથ્યાત્વ રહેશે. પણ સ્વભાવથી જુઓ તો કોઈ નયની અપેક્ષા જ નથી.
જેમ કે, અગ્નિ ઉષ્ણ છે. કઈ નયથી ? અરે ! સ્વભાવથી જ ઉષ્ણ છે. પાણી શીતળ છે. કઈ નયથી ? અરે ! સ્વભાવથી જ શીતળ છે. જો નિશ્ચયનયે શીતળ છે એમ તેમ લેશો તો વ્યવહારનયે ઉષ્ણ છે એમ આવી જશે.
નિશ્ચયનય તો માત્ર સ્વભાવનો ઇશારો કરે છે. નિશ્ચયનયને વળગશો તો સ્વભાવ દૃષ્ટિમાં નહીં આવે. નિશ્ચયનયથી જો તો આવો તારો સ્વભાવ છે એમ નય માત્ર સ્વભાવનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com