________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-પદ
જોઈએ. એટલે સ્વભાવગ્રાહી જ્ઞાનથી જ, સ્વભાવનો અનુભવ થાય. નયસાપેક્ષથી અનુભવ ન થાય પરંતુ અનુભવ થયા પછી પરસ્પર બે નયો સાપેક્ષ છે એવું જ્ઞાન જરૂર થાય. આ રીતે નયાતિક્રાંત થતાં, નયોનો જ્ઞાતા થાય છે.
નયાતિક્રાંત થવા પહેલાં નયોનો જ્ઞાતા થઈ શકતો નથી પણ નય વિકલ્પોની કર્તબુદ્ધિ રહી જાય છે.
એટલે નય વિકલ્પોની કર્તાબુદ્ધિ કેમ છૂટે અને પછી નયોનો જ્ઞાતા કેમ થાય? -કે દ્રવ્યસ્વભાવને સ્વભાવથી જો, નિશ્ચયનયથી નહીં, અને પર્યાયને સ્વભાવથી જો, નિશ્વનયથી પણ નહીં. સ્વભાવથી જોતાં નયવિકલ્પ છૂટી જાય છે.
નિશ્ચયના પક્ષથી નિર્ણય થાય છે પણ અનુભવ થતો નથી. તેથી નિશ્ચયનો પક્ષ પણ છોડી સ્વભાવથી જોતાં અનુભવ થાય છે. શ્રી સમયસાર નાટકમાં કહ્યું છે કે, “ જેઉ જહાં સાધક હૈ, તેઉ તહાં બાધક હૈ.”
આ જ વાત શ્રી પંચાધ્યાયી ગાથા. ૬૪૫ થી ૬૪૮ માં કહી છે.
શંકાકારઃ જે વ્યવહારનયનું અવલંબન કરે છે, તે જેમ સામાન્ય રીતે મિથ્યાદષ્ટિ છે તેવી જ રીતે નિશ્ચયનયનું અવલંબન કરે છે તે મિથ્યાદષ્ટિ કેમ હોય ? અર્થાત્ વ્યવહારનયનું અવલંબન કરનારને મિથ્યાદષ્ટિ કહેવામાં આવેલ છે તે બરાબર છે પરંતુ નિશ્ચયનયનું અવલંબન કરનારને પણ મિથ્યાદષ્ટિ કહેવામાં આવેલ છે તે કેવી રીતે ?
ઉત્તર:- બરાબર છે, પરંતુ નિશ્ચયનયથી પણ વિશેષ કાંઈક છે. તે સૂક્ષ્મ છે, તેથી તે ગુરુના જ ઉપદેશને યોગ્ય છે. મહાનગુરુ સિવાય તેનું સ્વરૂપ કોઈ બતાવી શકતું નથી. તે વિશેષ સ્વાનુભૂતિનો મહિમા છે કે નિશ્ચયનયથી પણ બહુ સૂક્ષ્મ અને ભિન્ન છે.
उभयं णयं विभणिमं जाणइ णवरं तु समय पडिबद्धो । णदु दयपक्खं गिण्हदि किंचिवि णयपक्खपरिहीणो ।।१।।
નિશ્ચયનયનું અવલંબન કરનારને પણ મિથ્યાદષ્ટિ કહેવામાં આવ્યો છે તે વિષયમાં ઉક્ત ગાથા પણ પ્રમાણ છે. તેનો અર્થ એ છે કે જે બે પ્રકારના નય કહેવામાં આવ્યા છે તેને સમ્યગ્દષ્ટિ જાણે છે પરંતુ કોઈપણ નયના પક્ષને ગ્રહતો નથી, તે નયપક્ષથી રહિત છે. આ ગાથારૂપ સૂત્રથી આ વાત સિદ્ધ થઈ કે, સમ્યગ્દષ્ટિ નિશ્ચયનયનું પણ અવલંબન નથી કરતો.
બીજી વાત એ છે કે નિશ્ચયનયને પણ આચાર્ય, સવિકલ્પ કહી છે અને જેટલું સવિકલ્પ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com