________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૫૪ માટે પરમકૃપાળુ ભાઈશ્રીએ આ વિકલ્પાંતકારી નિર્વિકલ્પ થવાની એટલે નયાતીત થઈ પક્ષાતિક્રાંત થવાની રહસ્યાત્મક કળા (વિધિ ) દર્શાવેલ છે.
પૂ. ભાઈશ્રીના દયમાં આવેલો આ ઉત્કૃષ્ટ ભાવ, સંતોના આગમમાંથી મળી જાય છે. કેમ કે વસ્તુના સ્વરૂપ માટે અને સ્વરૂપના અનુભવ માટે અનંત જ્ઞાનીઓનો એક જ મત હોય છે.
આ ચર્ચા નયથી પક્ષાતિક્રાંત થઈ પ્રત્યક્ષ અનુભવ કરવાના હેતુએ થઈ છે. પક્ષાતિક્રાંત થયેલો આત્મા શુદ્ધાત્માની દષ્ટિપૂર્વક બે નયોના વિષયને જાણે છે. કોઈ નય દુભાય નહીં અને પક્ષ રહે અને બે નયોનો જ્ઞાતા થઈ જાય.
નયથી જોતાં ઘણું કરીને ત્રણ દોષ આવે છે.
(૧) નયજ્ઞાન સાપેક્ષ છે. સાપેક્ષમાં, પ્રતિપક્ષ વ્યવહારના પક્ષનો વિકલ્પ ઉત્પન્ન થતાં, મિથ્યાત્વનું શલ્ય રહી જાય છે.
જ્યારે નિરપેક્ષમાં આવતા દષ્ટિ તથા જ્ઞાન સમ્યક થાય છે, વિકલ્પ છૂટી જાય છે અને બે નયોનો જ્ઞાતા થઈ વીતરાગતા પ્રગટ થાય છે.
(૨) નય વિકલ્પરૂપ છે. વિકલ્પથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. નયપક્ષ આકુળતારૂપ છે. નયજ્ઞાન ઈન્દ્રિયજ્ઞાન હોવાથી શુદ્ધ જ્ઞાન તો નથી, પરંતુ સ્વય પણ નથી–પરય છે.
(૩) નય અંશગ્રાહી છે. નય વડે જાણતાં નય અંશગ્રાહી હોવાથી, એક ધર્મને જાણે છે, બાકીના ધર્મોને જાણવાનું બાકી રહી જાય છે. એટલે જ્ઞાનને વિષયનો પ્રતિબંદ્ધ થાય છે. પ્રતિબંધ થતાં તેને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થતાં આકુળતા થાય છે. નિર્વિકલ્પ અતીન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરતાં તે જ્ઞાન સવિકલ્પ હોવાથી અને તેનું સામર્થ્ય સર્વગ્રાહી હોવાથી યુગપ૬ અક્રમે બધા ધર્મો એક સમયમાં જાણવામાં આવે છે. કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી એટલે ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એટલે નિરાકુળ આનંદનો અનુભવ થાય છે. આ રીતે સ્વભાવની પ્રાપ્તિની રીત, નયોથી જુદી છે.
આ ચર્ચામાં ખાસ વાત આ છે કે નયથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી કેમ કે નય સાપેક્ષ હોય છે. એના આધારરૂપે પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા-૫૧૫ માં સ્પષ્ટ કહ્યું છે કે, જેમ છેદનક્રિયાનું કારણ એવી ફરસી છેદનક્રિયા કરવામાં સ્વતંત્ર રીતે ચલાવવામાં આવે છે તેવી રીતે નય સ્વતંત્ર રીતે વસ્તુને લેઈ ધર્મથી વિશિષ્ટ સમજતોય નથી અને હૂતોય નથી.
ભાવાર્થ : ફરસી ચલાવવામાં એ જરૂરી નથી કે તે કોઈ બીજા હથિયારની અપેક્ષા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com