________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૫૦
નો એન્ટ્રી (no entry) છે. અને સ્યાત્ શલ્યવાળો તેથી જ તો નિઃશલ્ય થતો નથી. બીજી નયને માનવા જતાં દષ્ટિ શુદ્ધાત્મા ઉપરથી ખસી જાય છે અને જયારે નિઃશલ્ય સ્વભાવને સ્વભાવથી શુદ્ધ જાણતાં કેવળીનો લઘુનંદન બની જાય છે. આવો કોઈ સહજ સ્વભાવ જ હોવાથી તેને કોઈ નય લગાડયા વિના સ્વયમેવ જ્ઞાનથી સીધો જણાઈ જાય છે. જો આવો સ્વભાવ ન હોય તો કોઈને નિર્વિકલ્પ અનુભવ જ ન થાત. અથવા નયજ્ઞાન જ સાધન હોત તો બધા જ જ્ઞાની હોત! !
ખરેખર તો સાપેક્ષ કે નિ૨પેક્ષ બન્નેમાંથી કોઈ ભાવનું વિકલ્પ દ્વારા તો ગ્રહણ થતું જ નથી. હવે જે અતત્ત્વવિદ્દ છે તેને નય દ્વારા સમજાવે છે કે આ શ્રદ્ધાનો વિષય છેઃ આ જ્ઞાનનો વિષય છે, પરંતુ સમજનાર જ્યારે નયને છોડે છે ત્યારે શ્રદ્ધા પ્રગટ થાય છે. વળી પ્રયોજનની સિદ્ધિ બે નયને કહેવાથી નથી થતી. તેનાથી તો પદાર્થની સિદ્ધિ થાય છે. પરંતુ “શુદ્ધનય એક જ છે” તેમાં પ્રયોજન ઉપરાંત જાણવાની પણ સિદ્ધિ થાય છે.
સાપેક્ષ નિશ્ચયનય ખરેખર વ્યવહાર જ છે તેથી તે સંબંધી વિકલ્પ તો પ્રથમથી જ નીકળી ગયો. પરંતુ નિરપેક્ષ નિશ્ચયનય દ્વારા નિર્ણય થયા પછી પણ પક્ષાતિક્રાંત થવા માટે નિરપેક્ષ નિશ્ચયનયનો પણ છેલ્લો વિકલ્પ છૂટે છે. ‘હું જ્ઞાયક છું' તેવો પણ વિકલ્પ રહેતો નથી. આમ નિરપેક્ષ નિશ્ચયનય રાજાના મહેલના દરવાજા સુધી લાવી...... ધક્કો મારીને....... અંદર પ્રવેશ કરાવીને ચાલી જાય છે. નિરપેક્ષ નિશ્ચયનય પણ વિકલ્પાત્મક હોવાથી તે પણ આત્મામાં પ્રવેશ પામતી નથી. તે કહે છે કે મારી ડયુટી આટલી જ છે. આ નિરપેક્ષ નિશ્ચયનયનું સ્વરૂપ છે.
નિરપેક્ષ નિશ્ચયનયના ગર્ભમાં રહેલા સિદ્ધાંતો:
(૧) નિરપેક્ષ નિશ્ચયનય ઉપનયથી રહિત છે.
(૨) તે અભેદ અને અનુપચારને પ્રસિદ્ધ કરે છે.
(૩) તે અનુભવ કરાવે છે તેમ ન લખતાં અર્થનો નિશ્ચય કરાવે છે. (૪) આ નિરપેક્ષનય પરમાર્થનો પ્રતિપાદક હોવાથી તે ભૂતાર્થ પણ છે. (૫) તે વ્યવહારનો નિષેધક હોવાથી એક રીતે તેને પણ પૂજ્ય કહી છે. (૬) તે કોઈ પણ પ્રકારે બીજાના ભાવને જરાપણ બીજામાં મેળવતી નથી. (૭) આ નય ભેદને તેમજ ઉપચારને પ્રસિદ્ધ કરતી નથી. દા. ત. વ્યવહારનય આત્મા અર્થાત્
કહે જ્ઞાન તે આત્મા જ્યારે નિરપેક્ષ નિશ્ચયનય કહે ‘ જ્ઞાયક
"
જ્ઞાયકને જ્ઞાયકપણે પ્રસિદ્ધ કરતી હોવાથી તે સત્યાર્થ પણ છે.
(૮) આ નિરપેક્ષનયમાં ક્યાંય અટકવાનું સ્થાન જ ન હોવાથી તે સીધો નિરપેક્ષ દ્વારા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com