SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૭ “વહુ સાધન બાર અનંત કર્યો, તદપિ કછૂ હાથ હજુ ન પર્યો, અબ કયોં ન વિચારતી હૈ મનસે, કછૂ ઔર રાઉન સાધનસે.” (૭) નયજ્ઞાન હંમેશા સાપેક્ષ હોય છે. તર્ક શિરોમણિ આચાર્ય સમતભદ્ર સ્વામીનું સૂત્ર છે કે... “નિરપેક્ષનયા મિથ્યા નયા.” નયમાં એકાંત લગાવો તો તે મિથ્યા થઈ જાય છે. નયો તેના સ્વભાવથી જ સાપેક્ષ છે. આમ જિનવાણીમાં સાપેક્ષનનું સ્વરૂપ પ્રસિદ્ધ છે. નય હમેશાં સાપેક્ષ જ હોય છે. નિરપેક્ષનય હોતી નથી અને આત્માનો સ્વભાવ ત્રણે કાળ નિરપેક્ષ જ હોય છે માટે તેને નયની અપેક્ષા લાગુ પડતી જ નથી. હવે જે સાપેક્ષને જ્ઞાનના પડખાંમાંથી ઊડાડે છે, જ્ઞાનના શેયમાંથી ઉડાડે છે તો તે મિથ્યા છે. અહીં જૈનદર્શન “નયને જ્ઞાનના પડખામાંથી ઉડાડતું નથી. કહ્યું ને કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. “નિરપેક્ષનયા મિથ્યા નયા” તે દવા સાંખ્યમત, બૌદ્ધમત માટેની છે. આત્માર્થી માટેની દવા નથી. નિરપેક્ષપૂર્વક સાપેક્ષનું જ્ઞાન થાય જ છે. દષ્ટાંત તરીકે: નિશ્ચયનયથી આત્મા પરિણામથી રહિત છે તેમ જોશો તે તો વ્યવહારથી પરિણામથી સહિત છે તેમ પાછલા બારણેથી આપોઆપ આવી જશે. આમ જે જીવ નિશ્ચયનયના પક્ષમાં છે તે વ્યવહારનયના પક્ષમાં જ છે. વળી સાપેક્ષપણું એ જ તો વ્યવહારનયનું વાસ્તવિક સ્વરૂપ છે. આમાં આત્મા પરાધીન થઈ ગયો તે ખ્યાલમાં નથી આવતું. નિશ્ચયનયથી આત્મા શુદ્ધ છે તેમ લેતાં, વ્યવહારનયથી અશુદ્ધ છે તેમ આવી ગયું. તો પછી હું સ્વભાવથી શુદ્ધ છું' તેવું સ્વાભાવિક બળ નહીં આવે, કારણકે તેમાં નજર નય ઉપર જાય છે. પરંતુ નજ૨ (જ્ઞાન) સ્વભાવ ઉપર જતી નથી. નયમાં અટકેલો પ્રાણી નયથી વિચારે છે, પણ સ્વભાવથી વિચારતો નથી. દ્રવ્યલિંગી મુનિની આ ભૂલ છે તે કેવળી ગમ્ય છે. સાપેક્ષનયમાં અટકેલાને આ ભૂલ ખ્યાલમાં આવવી ઘણી કઠિન છે. તે સાપેક્ષનયને અતિક્રમીને નિરપેક્ષમાં આવ્યો જ નહીં. દ્રવ્યલિંગી મુનિની આ ભૂલ છે તે કેવળી ગમ્ય છે. સાપેક્ષનયમાં અટકેલાને આ ભૂલ ખ્યાલમાં આવવી ઘણી કઠિન છે. તે સાપેક્ષનયને અતિક્રમીને નિરપેક્ષમાં આવ્યો જ નહીં. આમ સાપેક્ષનયનો પક્ષ તે જ મિથ્યા છે. આ મિથ્યાત્વનું ગુપ્ત સ્વરૂપ છે. તેથી જ તો સંતો ફરમાવે છે કે વ્યવહારનયનું અવલંબન લેનાર પ્રસિદ્ધ મિથ્યાદષ્ટિ છે. અપ્રતિબુદ્ધ વસ્તુને માત્ર નિશ્ચય-વ્યવહારના પલ્લુથી જ જુએ છે. જ્યાં સાપેક્ષનયથી જુએ છે ત્યાં દષ્ટિમાંથી આત્મા તિરોભૂત થઈ જાય છે. વ્યવહારથી તો નહીંપણ નિશ્ચયનયથી પણ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. તઉપરાંત સાપેક્ષનય બે નયોના વિકલ્પનો જનક છે. તેથી તેમાં વિકલ્પનું વમન, દમન, શમન કરવાની શક્તિ જ નથી. આમ સાપેક્ષનય સમીચીન હોવા છતાં તે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy