SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૫ આત્માને સમજવા અર્થે કહ્યાં છે, પણ જીવ તો નયવાદમાં ગુંચવાઈ જાય છે.” (૬) નયજ્ઞાનની નિર્માલ્યતા. જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિમાં પ્રકાશેલ સમસ્ત નયજ્ઞાન દોષરૂપ છે. નયાનામ પરમાત્મનામ્ અધિકારી અયોગ્યતા.” નયો પરમાત્માના સ્વરૂપને જાણવાને અધિકારી નથી. નયોમાં પરમાત્માના સ્વરૂપને જાણવાની ક્ષમતા નથી. તેમજ નય બાહ્ય વસ્તુને પ્રકાશે છે. સાધકને નિર્વિકલ્પ ધ્યાનમાં વિકલ્પરૂપ નય હોતા નથી. સાધકને પણ સવિકલ્પની ભૂમિકામાં નયોના વિકલ્પ ઉઠે છે. તે શુદ્ધોપયોગનો નાશ કરીને ઊભા થાય છે. અને અજ્ઞાનીને તો નયોના વિકલ્પ સ્વભાવનો ઘાત કરીને ઉત્પન્ન થાય છે. આમ વિકલ્પાત્મક નિશ્ચયનય દોષરૂપ છે પણ ગુણપ નથી. નિશ્ચયનય પણ નિશ્ચયનયને જાણતી નથી. પરંતુ આત્મજ્ઞાન નિશ્ચયનયને (પ્રતિભાસ દેખીને જાણે છે.) જાણે છે. તેથી સ્પષ્ટ થાય છે કે બે નયોનો જ્ઞાતા નયજ્ઞાનથી થવાતું નથી. બે નયના વિષયને નયજ્ઞાન જાણતુ નથી. પરંતુ આત્મજ્ઞાન છે. નયોના વિષયને યુગપઅકમે જાણે છે. માટે નયજ્ઞાનવાળો સમયથી પ્રતિબદ્ધ થતો નથી. બે નયનાં વિષયનો જ્ઞાતા થતો નથી. કારણકે નયનો વિષય વિકલ્પ બને છે. નયનો વિષય આત્મા બનતો જ નથી. “ “કેવળ વિકલ્પ જ કર્તા છે અને કેવળ વિકલ્પ જ કર્મ છે તેથી વિકલ્પ કર્મ બને છે, પરંતુ અતીન્દ્રિયજ્ઞાન કર્મ થતું નથી. વળી નયજ્ઞાનની એ વિશેષતા છે કે તે વિશેષણ બદલ્યા કરે છે. તેથી તો કહ્યું છે કે “ભગવાન આત્મા સમસ્ત જયરાશિનો અવિષય છે.” ભગવાન આત્મા નિશ્ચયનયનો વિષય છે તેવો અભિનિવેષ કરવા યોગ્ય નથી. કારણ કે વિકલ્પાત્મક હોવાથી તેનો તો ભગવાન આત્મા અવિષય છે. કોઈ પણ નયથી વસ્તુ સ્વરૂપ વિચારતાં નિયમથી રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. તેથી તો નયજ્ઞાનને દોષરૂપ કહ્યું છે. તે પોતે જ સંસાર છે. વળી તે ક્રમપૂર્વક જાણે છે, અંશગ્રાહી અને સાપેક્ષ છે. તે કર્મચેતનાનો ભાવ હોવાથી શય છે પણ જ્ઞાન નથી. તેથી તે આત્માથી તો તન્મય થતું નથી, પરંતુ અતીન્દ્રિયજ્ઞાન પર્યાયથી પણ તન્મય થતું નથી. પરંતુ સર્વથા ભિન્ન છે. તેમાં કથંચિત્ ભિન્ન-અભિન્નપણું નથી. નયજ્ઞાન સવિકલ્પ હોવાથી વિભાવ ભાવ છે. પણ તે ૧–પરમ આધ્યાત્મ તરંગિણી ર-સ. સાર કળશ-૯૫ ૩-નિ. સાર કળશ નં-૨૦૮ કળશ નં-૯ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy