________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૮ (૩૬) સ્વર – પ્રકાશક એટલે શું? ધ્રુવ સત્યની જાહેરાત
સ્વપર પ્રકાશક ઘણો ગંભીર વિષય છે. જ્ઞાનના મહારથી સિવાય આ વિષય ઉપર છણાવટ વિદ્વાનો પણ ન કરી શકે તેવા સ્વરૂપની છણાવટ પૂ. ભાઈશ્રીએ કરી છે. સૌ પ્રથમ તો પર પ્રકાશક એ વ્યવહારનું કથન છે. આમાં લક્ષની મુખ્યતા નથી. પરંતુ પ્રતિભાસની મુખ્યતા છે અને પ્રયોજનની સિદ્ધિ હંમેશા લક્ષથી જ થાય છે. અપર પ્રકાશક પ્રમાણ હોવાથી પૂજ્ય નથી. તે વ્યવહારનો નિષેધક નથી, તેમાં વ્યવહારનો વ્યવચ્છેદ કરવાની તાકાત નથી. આવી અપર પ્રકાશકવાળી પ્રમાણજ્ઞાનની પર્યાયમાંથી વિધિ-નિષેધ પૂર્વક જે નિશ્ચયને અવલંબે છે, તેને જ શુદ્ધાત્માનો અનુભવ થાય છે.
આમ સ્વપ્રકાશકપૂર્વક અંદરનું નિશ્ચય રૂપર પ્રકાશક તે જ સમયે પ્રગટ થાય છે, તે નિર્વિકલ્પ જ્ઞાન-સવિકલ્પજ્ઞાન ધોતક છે. આ સ્વભાવમાં જાણવાની મુખ્યતા રહેલી છે.
હવે સાધક જ્યારે સવિકલ્પ દશામાં આવે છે ત્યારે જાણેલો પ્રયોજનવાન બને છે. રાગાદિ વિભાવનો અતીન્દ્રિયજ્ઞાનમાં પ્રતિભાસ દેખી અને સાધક રાગને જાણે છે તેવો ઉપચાર કરવામાં આવે છે. સાધકને તો “જ્ઞાનનું જ્ઞાન થાય છે”-જે જ્ઞાન આત્માને જાણતું જ પરિણમે છે.
અને એક છેલ્લું સ્વપર પ્રકાશક કેક જે, બાળ-ગોપાળ સૌને સમયે સમયે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, અને તેમાં નિરંતર અપર બન્નેનો પ્રતિભાસ થયા કરે છે; તેને પણ પર પ્રકાશકશાન કહેવાય. મુદ્દાની વાત તો એ છે કે પ્રયોજનની સિદ્ધિ કેમ થાય તેના તરફ વજન આવવું જોઈએ.
ખરેખર પ્રમાણનો પક્ષ કહો કે સ્વપર પ્રકાશકનો પક્ષ કહો તે કેવા પ્રકારે ભયંકર વસ્તુ છે તે દષ્ટાંત દ્વારા જોઈએ. જેવી રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય વગેરેનું મૃત્યુ શા માટે થયું? શું તેમને ન્યાય, ધર્મ પસંદ ન હતો? પાંડવો પ્રત્યે પુત્રપ્રેમ ન હતો? ધર્મ પસંદ હતો, અને પાંડવો પ્રત્યે વાત્સલ્યભાવ પણ હતો; છતાં... ? છતાં પણ તે અધર્મનો ત્યાગ-નિષેધ ન કરી શક્યા. અર્થાત્ કૌરવોનો પક્ષ ત્યાગી ન શક્યા. તેથી તેમનું યુદ્ધના મેદાનમાં મૃત્યુ થયું.
તેમ સ્વપર પ્રકાશક અર્થાત્ સ્વને પણ લક્ષ કરીને જાણે અને પરને પણ લક્ષ કરીને જાણે, આવા સ્વપરપ્રકાશકને જ્ઞાન માને; અથવા જ્ઞયાકાર જ્ઞાનમાં સ્વ અને સમસ્ત પર એક સમયમાં યુગપદ્ પ્રતિબિંબિત થાય છે, તે જ જ્ઞાનને સ્વપરપ્રકાશક માને તો તે પ્રમાણરૂપ વ્યવહાર હોવાથી અને સમ્યકત્વનો પ્રસવ કરવાની તેનામાં ક્ષમતા નહિ હોવાથી, મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com