________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૭૧ આબાળ-ગોપાળ એટલે નાના મોટા બધાય, એકેન્દ્રિયથી માંડીને બધાય. સૌને બધાયને આત્મા સદાકાળ હંમેશાં અનુભવમાં આવી રહ્યો છે. રાગ અનુભવમાં આવતો નથી. અને રાગનું ફળ દુઃખ અનુભવમાં આવતું નથી. એટલે જણાતું જ નથી. અરે વેદાય નહીં તો કાંઈ નહીં, પણ દુઃખ જણાય તો ખરું ને? કેઃ દુઃખ તારા સ્વભાવ નથી અને જે સામાન્ય ઉપયોગ પ્રગટ થાય છે એમાં પણ દુ:ખ નથી.
લીધું છે “ઉપયોગમાં ઉપયોગ છે.” ઉપયોગમાં રાગ અને રાગનું ફળ ઉપયોગમાં નથી. સંવર અધિકારમાં છે. ક્રોધાદિ નથી એટલે ક્રોધાદિનું ફળ દુ:ખ પણ નથી. ઉપયોગમાં નથી બહાર છે. જ્ઞાયક આત્મામાં તો નથી પણ જે જ્ઞાનમાં આત્મા જણાય છે એ જ્ઞાનમાં રાગાદિ અને એનું ફળ દુઃખ છે જ નહીં. માટે તો વેદાતું નથી પણ અનુભવાતું નથી એટલે જણાતું નથી. શું ગાથા લખી ગયા છે, અહોહો !
કુંદકુંદ ભગવાને ૧૭-૧૮ ગાથામાં કલમ ચલાવી કેઃ “પ્રથમ આત્માને જાણવો.” પ્રથમ આઠકર્મને, કર્મની ૧૪૮ પ્રકૃતિ, ઘાતિ-અઘાતિ, આ ગુણસ્થાને આ ઉદય અને આ ગુણસ્થાને આ સંક્રમણ અને આહાહા ! “પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો.” અને જાણીને એનું શ્રદ્ધાન કરવું. એમ જાણવાનો આદેશ આપ્યો.
આ વાત કુંદકુંદ આચાર્ય ભગવાને મૂળ ગાથામાં કહી. એની ટીકા તો કરી ટીકાકારે પણ ટીકાકારે એક એવી અપૂર્વ વાત લખી કે: આબાળ-ગોપાળ સૌને જણાયા જ કરે છે, એકાવતારી પુરુષ છે, અતિ આસનભવ્ય ધર્માત્મા છે, એકાદ ભવમાં જેનો મોક્ષ થવાનો નિશ્ચિત થઈ ગયો છે. આહાહા !
કુંદકુંદ આચાર્ય ભગવાને અષ્ટપાહુડમાં કહ્યું છે કે વર્તમાન અહીંના મુનિરાજ જે ભાવલિંગી સંત છે એ કોઈ કોઈ સીધા પાંચમા સ્વર્ગમાં જાય લોકાંતિક દેવમાં, અને ત્યાંથી નીકળીને સાધના પૂરી કરીને અરિહંત સિદ્ધ થઈ જાય એમ લખ્યું છે. અષ્ટ પાહુડમાં છે.
એ પુરુષ કહે છે કે તને તારો આત્મા અનુભવમાં આવે છે. દેહુ અનુભવમાં આવતો નથી. અને જે આસ્રવ છે એ પણ જણાતું નથી. અને દુ:ખ પણ જણાતું નથી. વેદાતું તો નથી, તારા જ્ઞાનમાં આવતું નથી માટે તું એનો વેદક નથી એટલે તને અનુભવમાં આવતું નથી. એટલે જણાતું નથી. ત્યારે શું જણાય છે? “ઉપયોગમાં ઉપયોગ છે.” જ્ઞાનમાં તો જ્ઞાયક છે. જ્ઞાનમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com