________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૭૨
જ્ઞાયક જણાય છે બધાને બાળ-ગોપાળ સૌને સદાકાળ.
છેલ્લા દસ વર્ષમાં તો ગુરુદેવ એકોએક વ્યાખ્યાનમાં લગભગ આ વ્રત લેતા હતા. રીપીટ કરતા હતા. એવો એક નિયમ કે એકની એક વાત અનેક વખત કહેવામાં આવે તો જુઠ્ઠી હોય તોય સાચી લાગે. અને સાચી વાત હોય તો પણ સાચી લાગી જાય. એમ એકને એક વાત જુદી વાત અનેક વખત કહેવામાં આવે તો સાચી લાગી જાય.
જ્યારે જર્મનીની લડાઈમાં હીટલર હતો એનો એક પ્રચારક પ્રધાન હતો. ઘણા પ્રધાન હોય ને? એમાં એકને પોર્ટફોલીઓ આપ્યો કે પ્રચાર કરવો એ તારું કામ. એ પછી રોજ પ્રચાર એવો કરે ખોટો-હળાહળ ખોટો-જુદો. એનું નામ ગોબેલ્સ, એવો જુો પ્રચાર કરે આહાહા! કચ્છના રણમાં તો હવે સ્ટીમરો ચાલવા માંડી અને ભૂમધ્ય સમુદ્રમાં હવે મોટો ચાલવા માંડી. ગોબેલ્સ એનું નામ હળાહળ-ખોટો પ્રચાર કરે. પછી જ્યારે હીટલર હારી ગયો ત્યારે એણે બહાર પાડયું કે: હું સો વખત ખોટું કહું ને એટલે એક વખત સાચું લાગી જ જાય એટલું બધું કાંઈ ખોટું કહેતા હશે. કોઈ નજરે જોવા તો જાય નહીં. કચ્છમાં જાય નહીં. સો વખત કહે એમાં બધાને સાચું લાગી ગયું.
એમ ગુરુદેવ અનેક વખત વાત કરે છે કે બાળ-ગોપાળ સૌને સદાકાળ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. એમ વારંવાર, વારંવાર સતનું પ્રતિપાદન કરતા કરતા એ પર્યાયનો કોઈની પર્યાયનો કાળ પાડ્યો હોય ત્યારે એ સત્ય લાગી જાય છે. અંદરમાં ગોળી લાગે.... ગોળી. કે આ વાત સાચી છે. અને પછી અનુભવ થઈ જાય છે.
ગોબેલ્સ એનું નામ. તે સાવ હળાહળ ખોટું કહે. જ્યાં પાણીનું ટીપું ના પડયું હોય અને ૧૨૦° તાપ હોય. આહા! એવું ધોધમાર પાણી પડયું કે રણ છે ને એ સમુદ્રમાં ફેરવાઈ ગયો. પાણી, પાણીને પાણી પછી સ્ટીમરો ચાલવા માંડી ને સ્ટીમરમાં આટલા ટન માલ ઊતર્યો, બધું ખોટું બકે.
આ જુઠ્ઠો છે તેમ સત્યવાદી કહે. જુઠ્ઠાલાલ સાચું કહે, કોઈ દિ' કહે? એનો ધમ જ ખોટું કહેવાનો છે. એને જુદી વાત સાચી લાગી. શુભભાવથી ધર્મ થાય, પુણ્યથી ધર્મ થાય, એમ કરતાં કરતાં ધર્મ થાય. પરંપરાએ ધર્મ થાય. આત્માને જાણો, આત્માને જાણો.... એવું હોય કાંઈ? એમ કરી કરી, (મિથ્યાત્વ પુષ્ટ કર્યું ) આહા ! વ્યવહારનય ખોટા કથન કરે અને તે સાચા લાગે, તો મિથ્યાદષ્ટિ તો હતો અને મિથ્યાત્વ પોષાઈ જાય છે. દઢ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com