SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૬૫ અનુભવ નહીં થાય. હું તો જાણનાર છું, જાણનારો જ જણાય છે; બાળ-ગોપાળ સૌને. એમાં પોતે આવી ગયો, બાધ નથી એમાં, બધા આત્માને પોતાના વર્તતા સામાન્ય ઉપયોગમાં, ઇન્દ્રિયજ્ઞાનમાં નહીં, કેમકે ઈન્દ્રિયજ્ઞાન તો આત્માથી સર્વથા ભિન્ન છે. એમ સમયસારમાં ફરમાવ્યું છે. પણ ઉપયોગ જે લક્ષણ છે, તેનાથી કાંઈ સર્વથા ભિન્ન નથી, એનાથી કથંચિત્ ભિન્ન-અભિન્ન છે. કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે જેમાં આત્મા જણાય. પોતાનું જ્ઞાન આત્માને જાણે અને આત્મા એમાં જણાય એવી પ્રક્રિયા એમાં ચાલુ જ છે. જાણનાર જણાય છે એનો સ્વીકાર કરીશ તો તને અનુભવ થઈ જશે. હું કરું છું તો પણ અનુભવ નહીં થાય અને હું પરને જાણું છું તો પણ અનુભવ નહીં થાય. આ તો અનુભવ જેને કરવો હોય એની વાત છે. વાદવિવાદ કરવાથી કાંઈ પાર પડે એવું નથી. કેમકે નયોના પ્રકાર તો અનેક હોય. જુઓ આગમમાં આમ લખ્યું છે. શું આગમ કાંઈ જુઠી છે? ભાઈ ! આગમ સાચા છે. આગમને કોઈ ખોટું કહેતું નથી. પણ આગમમાં કયા પ્રકારની વિવિક્ષાથી, શું પ્રયોજન સિદ્ધ કરવા કહ્યું હોય એની વિવિક્ષા સમજવી જોઈએ. વિવિક્ષા ન સમજે તો સ્વભાવ હાથમાં આવતો નથી. ખરેખર તો નિશ્ચયનયનો જે પક્ષ એટલે વિકલ્પ છે તે સ્વભાવની ઓથે ગળે છે. ટળતું નથી. ગળે છે. જાણનાર છું અને જાણનાર જણાય છે એમ પ્રત્યક્ષ અનુભવ થવા પહેલા જેને આવો સ્વભાવનો પક્ષ આવે છે એને મિથ્યાત્વ અજ્ઞાન ગળે છે. અને સ્વભાવનો આશ્રય લેતાં એ પક્ષ-વિકલ્પ ટળી જાય છે. અને નયાતિક્રાંત થાય છે. નિશ્ચયનય પક્ષાતિક્રાંત કરાવી આનંદની પ્રાપ્તિ કરાવી ચાલી જાય છે. ઊભી ક્યાં રહે છે? નિશ્ચયનયનો વિકલ્પ રહેતો નથી. જ્યાં પોતે સ્વભાવની સન્મુખ થાય છે ત્યાં નિશ્ચયનયનો પક્ષ પણ ઉત્પન્ન થતો નથી. વિકલ્પ ઉત્પન્ન થતો નથી. કાંઈ આત્માના આશ્રયે રાગ ઉત્પન્ન ન થાય, આત્માના આશ્રયે તો વીતરાગ ભાવ પ્રગટ થાય છે. જ્યાં પોતે સ્વભાવની સન્મુખ થાય છે ત્યાં નિશ્ચયનયનો પક્ષ એટલે રાગ પણ ઉત્પન્ન થતો નથી. નયપક્ષ તો પરાશ્રિત છે. વ્યવહારનય તો પરાશ્રિત છે જ પણ નિશ્ચયનય પણ; એટલે વિકલ્પાત્મક નિશ્ચયનય પણ પરાશ્રિત જ છે. વિકલ્પ માત્ર પરાશ્રિત હોય છે. પછી વ્યવહારનયનો વિકલ્પ હોય કે નિશ્ચયનયનો વિકલ્પ હોય. હું શુદ્ધ છું, હું એક છું; અભેદ છું એવો જે વિકલ્પ છે તે વિકલ્પ હંમેશા પરાશ્રિત હોય. વિકલ્પ સ્વ આશ્રયે પ્રગટ ન થાય. અને સ્વઆશ્રિત ન હોય. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy