________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૪૪ ને? વહ જુઠા હૈ. નિશ્ચયનયનો વિકલ્પ પણ દ્રવ્યનો સ્વભાવ નથી. એ તો સમજાવવા માટે પ્રાથમિક શિષ્યને હોય છે. આ તો એકદમ અંદર જવાની વાત છે. સમજયો? આઠ વર્ષનો બાળક પણ અનુભવ કરી શકે. તું તો દસબાર વર્ષનો થઈ ગયો હોઈશ નહીં? (તું સ્વભાવથી ક્યાં જશ?)
કોણ બાળક ને કોણ જુવાન ને કોણ સ્ત્રી એવું આત્મામાં છે નહીં. બસ તો નયના વિકલ્પ છૂટી જશે અને તને અનુભવ થઈ જશે એમ કહે છે. જો તું નયને છોડી દઈશ તો તને અનુભવ થઈ જશે. નયને પકડીશ તો તને અનુભવ નહીં થાય.
સોગાનીજીએ એક દષ્ટાંત આપ્યો છે, એક પોપટ હતો. ઊડતાં ઊડતાં એક ભૂંગળીને પકડી લીધી. ભૂંગળી ફરતી હતી. ભૂંગળી આમ ફરે એટલે ઊંધો થઈ જાય. તેનું માથું ઊંધું થઈ જાય. બીજા પોપટ એને એની ભાષામાં સમજાવે છે કે છોડી દે. આ ભૂંગળીને તું છોડી દે, તો તું ઊડી જઈશ, તો પોપટ કહે –તો હું મરી જઈશ. એ તું મરીશ નહીં પણ તું ઊડી જઈશ. એની જાતના (પોપટ) કહેવા લાગ્યા એને ખ્યાલ આવ્યો. જો કાગડાએ, મીંદડીએ આવીને કહ્યું હોત તો ન છોડત. આ તો એની જાતના એ કહ્યું, છોડી દે તું ઊડી જઈશ.
એક પોપટે, બીજાએ, ત્રીજા પોપટે વારાફરતી કહ્યું કે આ આપણી જાતના છે એટલે આપણને સાચી સલાહ આપે છે. સમજી ગયા. તો એણે આમ છોડી દીધી, છોડ્યા ભેગું આમ ઉડી ગયો. એમ નયને પકડી રાખી છે. તો તેને છોડી દે અનુભવ થઈ જશે તને. નય છે ભૂંગળી છે ભૂંગળી. એ ઊંધે માથે થઈ ગયો તું. સોગાનીજી આ દષ્ટાંત દેતા.
બસ તો નયોના વિકલ્પ છૂટી જશે અને અનુભવ થઈ જશે. અનુભવની આ વિધિ છે. જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે કે સ્વભાવથી જાણે છે? સ્વભાવથી જ જાણે છે. પ્રભુ! એને નયની જરૂર નથી.
અનાદિ અનંત જ્ઞાન સ્વભાવથી જ આત્માને જાણતું પ્રગટ થાય છે. અહાહા ! સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરતો જ ઉદય થાય છે. સ્વભાવથી જાણતો હોય એમાં નયની અપેક્ષા ન હોય. નય તો માત્ર સ્વભાવનો અંગુલીનિર્દેશ કરે છે જે નથી સમજતો-જાણતો એને ઈશારાથી પહેલાં સમજાવે છે.
જેવું છે તેવું કહે છે એટલે નિશ્ચયનય સત્યાર્થ છે. એમ વ્યવહારનય અસત્યાર્થ છે. એટલે વ્યવહારનય છોડાવવા એને નિશ્ચયનું આલંબન લીધું તો વ્યવહારનો પક્ષ છૂટી જાય છે. અને નિશ્ચયના પક્ષમાં આવે છે. નિશ્ચયના પક્ષમાં આવે છે અને વ્યવહારનો પક્ષ છૂટયો અને નિશ્ચયના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com