________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૩૮
ચર્ચા નં-૪ જામનગર નિરપેક્ષ સ્વભાવ દર્શાવનાર શ્રી ગુરુદેવાય નમઃ
તા. ૧૭-૯-૯૧
દ્રવ્યલિંગી મુનિ થયો. ત્યારે તે પર્યાયનો સ્વભાવ શું? અને દ્રવ્યનો સ્વભાવ શું? એને અપેક્ષા દ્વારા વિચાર્યું અને તે નય છે. નય છે તે મનનો ધર્મ છે પરંતુ જ્ઞાનનો ધર્મ નથી. અતીન્દ્રિય જ્ઞાન જે છે તેમાં નયોના વિકલ્પ ન હોય. પણ નયોના વિકલ્પ ઊઠે છે એ મનના સંગે ઊઠે છે. નયજ્ઞાન છે તે પોતે જ ખંડજ્ઞાન છે, વિકલ્પ છે, બંધનું કારણ છે. વ્યવહારનયનો વિકલ્પ પણ બંધનું કારણ છે. નિશ્ચયનયનો વિકલ્પ તે પણ બંધનું કારણ છે. પછી વિકલ્પમાં બે ભેદ પાડો નહીં. આ અશુભ વિકલ્પ છે કે આ શુભ વિકલ્પ છે, વિકલ્પ માત્ર બંધનું કારણ છે.
જેમકે શુભાશુભ ભાવો બંધનું કારણ છે; એમ નયોના વિકલ્પો પણ વ્યવહારનયે આવો છે અને નિશ્ચયનયે જીવ આવો છે એવા જે વિકલ્પ ઊઠે છે તે તો બંધનું કારણ છે. બંધનું કારણ હોવા છતાં પણ, આત્માના દ્રવ્ય અને પર્યાયનો નિર્ણય કરવાને પ્રાથમિક ભૂમિકામાં એને વ્યવહારનયે સાધન પણ કહેવામાં આવે છે. જેથી આડો અવળો નિર્ણય ન કરે. દ્રવ્યનો-પર્યાયનો જેવો વસ્તુનો સ્વભાવ છે, તે રીતે નિર્ણય કરવામાં; એનો કાળ હોય ત્યારે એને વિકલ્પ તથા પ્રકારનો ઊઠે છે.
હવે નયોના વિકલ્પ દ્વારા એ અગૃહીત મિથ્યાત્વનો ત્યાગ કરે છે. કેમકે અન્યમતમાં કોઈ જ નય વિવિક્ષા નથી. જૈનધર્મમાં જ નવિવિક્ષા છે. એટલે ગૃહીત મિથ્યાત્વ ગયું અને અગૃહીત મિથ્યાત્વ રહ્યું. અને અગૃહીત મિથ્યાત્વમાં પણ તે
સ્વભાવનો વિચાર કરે છે. નય દ્વારા એ જ્યારે સ્વભાવનો નિર્ણય કરે છે ત્યારે અંગૃહીત મિથ્યાત્વ પણ ગળવા લાગે છે. ટળતું નથી પણ ગળે છે. કેમ કે હું કર્મના સંબંધવાળોબંધવાળો છું, કર્મને કરું છું ને ભોગવું છું. એવો જે વ્યવહાર નયનો પક્ષ તેમાં તો મિથ્યાત્વ દેઢ થતું હતું.
આહા ! હવે એ વ્યવહારનયને ગૌણ કરીને નિશ્ચયના વિકલ્પમાં આવે છે કે મારો આત્મા તો ત્રિકાળ અબંધ છે. પૂર્વે કર્મનો સંબંધ મને થયો નથી. અને કર્મના બંધમાં પણ મારો આત્મા પૂર્વે નિમિત્તે કારણે થયો નથી, કર્મના બંધમાં નિમિત્ત થાય એવો મારો સ્વભાવ નથી. એવી રીતે નિશ્ચયનયના વિલ્પ દ્વારા અબદ્ધ સ્વભાવને નિર્ણયમાં લ્ય છે.
હું તો ત્રિકાળ મુક્ત છું, હું ત્રિકાળ અકારક અને અવેદક છું, એમ જે પોતાના આત્માને, જેવો છે તેવા આત્માને વિકલ્પ દ્વારા મનના તરંગ દ્વારા, રાગના સંબંધવાળા જ્ઞાન દ્વારા, જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com