________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૩૬ જાવ; બાજુમાં અગ્નિ છે કે નહીં જોઈ આવો. ઓલો પરાશ્રિત વ્યવહાર અને આ ભેદાશ્રિત વ્યવહાર. ભણેલો તો તરત જ સમજી જાય કે સાહેબ ત્યાં અગ્નિ નથી. કેમ નથી? સાહેબ ઉષ્ણ તે અગ્નિ-ઉષ્ણ તે અગ્નિ. જુઓ ધારણામાં ગોખેલું હતું. ગોખણ પટ્ટી હતી. પછી ત્રીજો ગયો, એણે અગ્નિના અંગારા ઉપર સહેજ આંગળી અડાડી. આખો હાથ મૂક્યો નહીં હોં! આખો હાથ મૂકવાની જરૂરેય નથી આમ આંગળીનું ટેરવું મૂકયું અને આવ્યો ગુરુજી પાસે, ગુરુજી! અગ્નિ છે.” તમે કઈ રીતે જાણ્યું કે? : અનુભવથી જાણું. લાકડાંને બાળે તે અગ્નિ તે લાકડું નીકળી ગયું અને ઉષ્ણ તે અગ્નિ એ ભેદ પણ ગયો. પરાશ્રિત વ્યવહાર અને ભેદાશ્રિત વ્યવહાર પણ ગયો અને અભેદ વસ્તુ અનુભવમાં આવી ગઈ.
જેવી રીતે અગ્નિ તો અગ્નિ જ છે, અગ્નિ જ છે તેમ કથંચિત્ લાકડાં ને બાળે તે અગ્નિ અને કંથચિત્ ઉષ્ણ તે અગ્નિ એ બન્ને વ્યવહારના લાકડાં નીકળી ગયા. તેમ આ એવી જાતનું લાકડું ઘૂસી ગયું છે કે: પરને જાણે છે તેને જ્ઞાયક કહેવામાં આવે છે. લોકાલોકને જાણે તેને જ્ઞાન કહેવામાં આવે છે. દેવ-ગુરુ-શાસ્ત્રને જાણે તેને જ્ઞાન કહેવામાં આવે છે. છ દ્રવ્યને જાણે તેને જ્ઞાન કહેવામાં આવે છે. આહાહા! આ અસતવ્યવહારનાં લાકડાં એવા ઘસી ગયા કે ઘડીકમાં નીકળે નહીં. તેમ “ જ્ઞાન તે આત્મા”. “ જ્ઞાન તે આત્મા;” એ ભેદનું લાકડું ગરી ગયું, પણ જ્ઞાયક તો જ્ઞાયક છે. બન્ને ભેદના લાકડાં નીકળી જાય અને અનુભવ થઈ જાય એવું આ છે.
આ વ્યવહારનાં લાકડાં અનાદિનાં છે, આજના નથી. લાકડાં બહુ નડે છે, એટલે આ વસ્તુ ઘડીકમાં સમજાય પણ નહીં. જેમકે અગ્નિ ઉષ્ણ છે કઈ નયથી? અરે! એના સ્વભાવથી જ ઉષ્ણ છે. પાણી શીતળ છે. કઈ નથી ? અરે! સ્વભાવથી જ શીતળ છે. જો નિશ્ચયનયે પાણી શીતળ છે એમ લેવા જશો તો વ્યવહારનયે ઉષ્ણ છે એમ આવી જશે. અરે! પાણીને પાણીના સ્વભાવથી જો ને! નયનું શું કામ છે! !
નય સાપેક્ષ છે એટલે પ્રતિપક્ષ અપેક્ષા આવે છે. આમ પાણીને નિશ્ચયથી શીતળ જુઓ તો પ્રતિપક્ષ વ્યવહારનય તો ઉભી થાય જ. એટલે નય સાપેક્ષ જ હોય અને સ્વભાવ નિરપેક્ષ જ હોય. શું કહ્યું શેઠજી! નય છે તે સાપેક્ષ છે. પાણી નિશ્ચયનયે શીતળ છે તો વ્યવહારનયે ઉષ્ણ આવી જશે. વળી સાપેક્ષ નયને છોડીને પાણીને એના મૂળ સ્વભાવથી જો તો એ શીતળ અને શીતળ. તેને નયની અપેક્ષા લાગુ પડતી નથી. એમ એ સ્વભાવથી શીતળ છે. જો નિશ્ચયનયે શીતળ કહેવા જશો તો વ્યવહારે ઉષ્ણ છે તેમ આવી જશે.
નિશ્ચયનય તો માત્ર સ્વભાવનો ઈશારો કરે છે. જ્યારે વ્યવહારનયમાં તો સ્વભાવનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com