SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૩ર મારા જ્ઞાનમાં ‘જાણનાર જણાય છે. બીજું કાંઈ જણાતું નથી.” ત્યાંનો અનુભવ થઈને અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થઈને આનંદ આવશે તને આહાહા ! આ બધાં વ્યવહારના કથનો એને ઓળંગી જા. આત્મા રાગને કરતો નથી અને વીતરાગભાવને પણ કરતો નથી. આત્મા તો સ્વભાવથી જ અનાદિ અનંત અકારક અને અવેદક છે. અકર્તા અને અભોક્તા છે. એ રાગને કરતોય નથી અને દુઃખને ભોગવતોય નથી. વીતરાગ ભાવને કરતો નથી અને અતીન્દ્રિય આનંદને પણ ભોગવતો નથી. આનંદને ઉડાડી દીધો? કે આનંદને નથી ઉડાડયોઆનંદ કેમ પ્રગટ થાય એની વિધિ ચાલે છે. આત્મા અકારક અને અવેદક છે. અકર્તાને અભોક્તા ૩૨૦ ગાથામાં આવી ગયું છે. ૩૨૦ ગાથાના વ્યાખ્યાન પણ છપાઈ ગયા છે. તેર વ્યાખ્યાન તેરા પંથ છે ને આપણો? તેર વ્યાખ્યાન છપાઈ ગયા છે. અધ્યાત્મપ્રવચનરત્નત્રય એ નામનું પુસ્તક એમાં ગુરુદેવનાં તેર વ્યાખ્યાન છપાણી છે. લાઈફ ટાઈમ વાંચવા જેવું પુસ્તક છે. અરે ! સ્વભાવને અનુભવવા માટે નયની અપેક્ષા લગાડો નહીં સ્વભાવને અનુભવવા માટે હોં! પંડિત થવા માટે નય લગાડો પણ જ્ઞાની થવા માટે હવે નયને છોડો. આત્મા અકારક અને અવેદક છે એ કઈ નયથી છે? અરે, સ્વભાવને અનુભવવા માટે નયની અપેક્ષા લગાડો નહીં. નિશ્ચયનયથી અકારક અને અવેદક છે એવી અપેક્ષા લગાડો નહી. એને નિરપેક્ષ સ્વભાવથી જુઓ. એને મૂળ સ્વભાવથી જુઓ. સ્વભાવની સમીપે જઈને જુઓ. આવે છે ને શાસ્ત્રમાં “સ્વભાવની સમીપે જઈને જુઓ.” (સ. સાર ગાથા ૧૩ ની ટીકામાં) અપેક્ષા બંધ કરી દો. વ્યવહારનયે આત્મા પરિણામનો કર્તા છે, નિશ્ચયનયે આત્મા પરિણામનો અકર્તા છે. આ તો સીધી વાત છે. કે “ના” એ સીધી વાત નથી. સમજવા માટે સીધી છે, અનુભવવા માટે સીધી નથી. અરે! આત્મા નિશ્ચયનયે અકર્તા છે કે સ્વભાવથી જ અકર્તા છે? આમાં આવ્યું” તું ને, આત્મા અકારક અને અવેદક છે, એટલે એ કઈ નયથી છે? એનો છેલ્લો જવાબ આપ્યો કે આત્મા નિશ્ચયનયે અકર્તા છે કે સ્વભાવથી જ અકર્તા છે? ત્રણે કાળ સ્વભાવથી જ અકર્તા છે. નિગોદમાં રહેલા જીવો એનો જે આત્મા છે એ અત્યારે રાગના અકર્તાપણે રહેલો છે. અને અત્યારે દુઃખના અભોક્તાપણે રહેલો છે. ત્રિકાળી દ્રવ્ય દુ:ખને ભોગવતો નથી. નિગોદમાં (સંયોગમાં) અત્યારે આપણા ભાવિ તીર્થકર શ્રેણિક રાજા પહેલી નરકના દુઃખને ભોગવતા નથી; અને સુખને ભોગવતા નથી. અરે! એ (શ્રેણિકરાજા) દુ:ખને ભોગવતા નથી અને અમારા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy