________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૧૯ નિશ્ચયનયે મારો આત્મા મને જણાય છે, નિશ્ચયનયે મારો આત્મા મને જણાય છે તો વ્યવહારનયે મને પર જણાય છે એ આવી ગયું. કીધા વગર આવી ગયું, તો હવે શું કરવું? કે મારા જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે સ્વભાવથી જ જ્ઞાન આત્માને જ નિશ્ચયનયથી જ્ઞાન આત્માને જાણતું નથી. કેમકે નિશ્ચયનય તો વિકલ્પ છે, એમાં આત્મા ક્યાંથી જણાય? નયજ્ઞાન નીકળી જાય, વિકલ્પ છૂટી જાય. અને આત્માનો અનુભવ થાય એ જ્ઞાનની પર્યાયનો જ સ્વભાવ છે. સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણે છે. નિશ્ચયનયથી જાણે છે એમ નથી. તો વ્યવહારનયે પરને જાણે છે તેમ આવી જશે.
પ્રમાણમાંથી નયમાં આવે અને નયમાં આવ્યા પછી નયાતિક્રાંત થવાય. નિશ્ચયનયે આવો અને વ્યવહારનયે આવો એ તો પ્રમાણમાં રહ્યો, પછી એમાંથી વિધિ-નિષેધ કરવું પડે. જ્ઞાન આત્માને જાણે છે અને પરને જાણતું નથી. નિશ્ચયનયે અકર્તા છું અને કર્તા છું નહીં એમ વિધિ-નિષેધમાં આવે પ્રમાણમાંથી ત્યારે તો હુજુ એને નિશ્ચયનયનો પક્ષ આવ્યો કહેવામાં આવે છે. પણ નિશ્ચયનયથી હું આવો છું ઈ ભૂલ છે. એમાં અનુભવ થતો નથી, “હું સ્વભાવથી જ અકર્તા છું” મારા જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે સ્વભાવથી જ આત્માને જાણે. એક સમય પણ આત્માને જાણવાનું છોડે નહીં. મારા જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એવો છે.
બધાની જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એવો છે, બાળ ગોપાળ બધાની પર્યાયનો સ્વભાવ જ એવો છે, બાળ ગોપાળ બધાનું જ્ઞાન સ્વભાવથી જ જ્ઞાયકને જાણે છે. કોઈ ઉપદેશ આપે ત્યારે જાણે અને કોઈ ઉપદેશ ન આપે ત્યારે જ્ઞાન આત્માને ન જાણે તેમ છે. નહીં. સ્વભાવને ઉપદેશની જરૂરત નથી. સ્વભાવ તો નિરપેક્ષ છે ત્યારે શું સાંભળવું નહીં અમારે ? ભાઈ ! સાંભળવું ન સાંભળવું એ અહીંઆ અત્યારે વાત નથી, તું ઊંડી વાત જરાક લે! સાંભળવાથી કોઈને આત્મજ્ઞાન થાય જ નહીં. સાંભળવું એ તો પરલક્ષવાળું જ્ઞાન છે. એ તો કર્મેન્દ્રિયનો વિષય છે. મારો વિષય નથી. મારું જ્ઞાન તો સ્વભાવથી જ મને પ્રસિદ્ધ કરે છે. અહાહા ! એવું જ જ્ઞાન ઉદય થાય છે કે જેમાં સ્વભાવ જણાયા કરે છે. એવો જ્ઞાનનો સ્વભાવ છે કે જેમાં જ્ઞાયક આત્મા જણાયા જ કરે.
સૂર્યનો પ્રકાશ છે, એ સૂર્યને નિશ્ચયનયે પ્રસિદ્ધ કરે છે અને વ્યવહારનયે ઘટપટને પ્રસિદ્ધ કરે છે, એમ છે નહીં. સૂર્યના પ્રકાશનો સ્વભાવ જ એવો છે કે એ સૂર્યને પ્રસિદ્ધ કર્યા જ કરે. એને નયની અપેક્ષા નથી. એવી અપૂર્વ વાત આમાં રહેલી છે. નયના વિકલ્પને તોડીને અનુભવ કેમ થાય તેની મુખ્યતા છે. આવશે આ પુસ્તિકામાં બધું આવશે.
કહે દ્રવ્ય સ્વભાવને સ્વભાવથી જ જો, તેને નિશ્ચયનયથી નહીં. અને પર્યાયસ્વભાવને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com