SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ- ૩ પૂ. કહાન ગુરુદેવના અનન્ય ભક્તરત્નોમાંના કોહીનૂર એવા પૂજ્ય ભાઈશ્રી” લાલચંદભાઈ અમરચંદભાઈ મોદીની જીવન ઝરમરની અનેરી ઝળહળતી ઝલક. (૬) જીવન દર્શનરૂપ સંક્ષિપ્ત જીવન યાત્રા ગગનના ગોખમાંથી અને ધરતીના તળમાંથી દિવ્ય સુગંધ પ્રસરાવતી વિધિની ધન્યપળે (વિ. સં. ૧૯૬૭ જેઠ સુદ નોમ રવિવાર તા. ૧૬-૬-૧૯૧૦ ના રોજ ) બાળક લાલનો જન્મ થતાં, ધરતી શોભાયમાન બની. બાળ લાલના પવિત્ર પગલાંથી સૌરાષ્ટ્રનું (માણાવદર તાલુકાનું) લીંબુડા ગામ ધન્ય બન્યું. આમ તો સહસ્ત્ર માતાના પુત્રોને જન્મ આપે છે પણ ધન્ય છે માતા ફૂલબાની ગોદને કે જેમણે આવા સિંહુનર-રત્નને જન્મ આપ્યો. બાળક “લાલ' પિતાશ્રી અમરચંદભાઈના પાટવી પુત્ર હતા. તેઓ કુલ ચાર ભાઈઓ અને એક બહેન હતાં, તેઓશ્રીનો કુળ પરંપરા ધર્મ સ્થાનકવાસી જૈન સંપ્રદાય હતો. (૭) મહાપુરુષોના મુખમંડલના પ્રતિબિંબની પારદર્શકતા અમરના “લાલ” ની બાળ ચેષ્ટાઓ બીજાં બાળકોથી વિલક્ષણ હતી. મનમોહક રૂપ અને દૈવી તેજ મનસોહામણા હતાં, જેમ ચંદ્રની ચાંદની ખીલે તેમ “લાલ” ની બાળ કળાએ ખીલતી. જન્મથી જ તેમનામાં અસાધારણ પ્રતિભાનાં દર્શન થતાં હતાં. લગભગ ૧૩-૧૪ વર્ષની નાની વયમાં તેમણે માતુશ્રીનું વાત્સલ્ય ગુમાવ્યું. (૮) બાળપણથી ગુણાનુરાગી અને ધર્માનુરાગી શોધક હતા નાનપણથી સ્થાનકવાસી સંપ્રદાયના પુસ્તકો વાંચતા, તેમજ પોષા અને નકોરડા ઉપવાસ કરતા, શોધકવૃત્તિ હોવાથી માત્ર નવ વર્ષની ઉંમરે બાળક “લાલ” ને પ્રશ્ન થયો કે જિનેન્દ્ર ભગવાનની પૂજા શા માટે ?” બીજા કોઈની કેમ નહીં? તેનો ઉત્તર તેમને અલ્પ સમયમાં સ્વયંથી જ મલી ગયો, પૂર્વના સંસ્કાર હોવાના કારણે અંદરથી ઉત્તર આવ્યો કેઃ ભગવાનની પૂજા એ તો ગુણની પૂજા છે, કોઈ વ્યક્તિની પૂજા નથી.” (૯) લૌકિક શિક્ષણ અને નોકરી લૌકિક શિક્ષણ ધોરાજીમાં પ્રાપ્ત કર્યું, બાદમાં અંગ્રેજી પણ શીખેલ હતા. શ્રી અમરચંદભાઈના જયેષ્ઠ પુત્ર હોવાથી કૌટુંબિક જવાબદારી આવી જતાં માત્ર ૧૭ કે ૧૮ વર્ષની નાની ઉંમરે નોકરીમાં રહી ગયા. તેઓ નાનપણથી જ પરિશ્રમી, સત્યનિષ્ઠ, મૃદુભાષી, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy