________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૧૪ છે. આ વાત સમયસાર ગાથા ૩૧માં લીધી છે. ઘણી જગ્યાએ લીધું છે.
અતીન્દ્રિયજ્ઞાન જે નવું પ્રકટ થાય છે અનુભવના કાળમાં તે સર્વથા ભિન્ન પણ નથી અને સર્વથા અભિન્ન પણ નથી. સર્વથા ભિન્ન કહો તો અનુભવ નહીં થાય. અને સર્વથા અભિન્ન કહો તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થાય, માટે કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન- આમ અનુભવ જ્ઞાનમાં સ્વયાવાદ છે. અનુભવ જ્ઞાનમાં કથંચિત્ આવ્યું કે નહીં? કથંચિત્ કહ્યું એટલે સ્યાદ્વાદ થઈ ગયું. કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન. એને જો તમે સર્વથા ભિન્ન કહો અતીન્દ્રિયજ્ઞાનને તો કોઈને અનુભવ ન થાય અને સર્વથા અભિન્ન કહો તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. કથંચિત્ અભિન્ન છે માટે નિશ્ચય રત્નત્રયનાં પરિણામ મોક્ષમાર્ગ મોક્ષનું કારણ થાય છે.
જીભ ભલે ગમે તેટલાં શાસ્ત્રો ભણે, વાદવિવાદ કરી જાણે, પ્રમાણ-નયનિપાદિથી વસ્તુની તર્કણા કરે, ધારણારૂપ જ્ઞાન ને વિચારોમાં વિશેષ-વિશેષ ફેરવે, પણ જો જ્ઞાન સ્વરૂપ આત્માના અસ્તિત્વને પકડે નહીં અને તદ્રુપ પરિણમે નહીં, તો તે શેયનિમગ્ન રહે છે. જે જે બહારનું જાણે તેમાં તલ્લીન થઈ જાય છે. જાણે કે જ્ઞાન બહારથી આવતું હોય એવો ભાવ વેધા કરે છે. બધું ભણી ગયો. ઘણી યુક્તિ-ન્યાય જાણ્યાં, ઘણા વિચારો કર્યા, પણ જાણનારને જાણ્યો નહીં, જ્ઞાનની મૂળ ભૂમિ નજરમાં આવી નહીં, તો તે બધું જાણ્યાનું શું ફળ? શાસ્ત્રાભ્યાસાદિનું પ્રયોજન તો જ્ઞાન સ્વરૂપને જાણવો તે છે.
(બહેનશ્રીના વચનામૃત બોલ નં. ૩૮૧)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com