________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૧૨
સમયમાં કોઈ જાણી ન શકે. અજ્ઞાની પરલક્ષ કરીને પરને જાણે છે, છતાં એમાં સ્વનો પ્રતિભાસ તો છે શાયકનો. બાળગોપાળ સહુને જણાય છે કે નહીં? એમાં પ્રતિભાસની મુખ્યતા છે. લક્ષની મુખ્યતા એમાં નથી. શું કહ્યું? વિષય સૂક્ષ્મ છે. ૧૭-૧૮ ગાથામાં કહ્યું-આબાલ-ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અનુભવમાં આવે છે એમાં લક્ષની અપેક્ષાએ નથી પણ એમાં પ્રતિભાસની અપેક્ષા છે.
જો (જ્ઞાયકનું ) એનું લક્ષ બધાને હોય તો બધા સમ્યગ્દષ્ટિ થઈ ગયા હોત, પણ એમ છે નહીં. પણ પ્રતિભાસ જરૂર થાય છે. હવે પ્રતિભાસ જરૂર થાય છે એટલે આવિર્ભાવ થઈને અનુભવ થઈ શકે છે. પ્રતિભાસ ન હોય તો આવિર્ભાવ થઈ ને અનુભવ થઈ શકે છે. પ્રતિભાસ ન હોય તો આવિર્ભાવ થઈને અનુભવ કોઈને ન થાય. માર્મિક ચીજ છે ઈ...... ઊંચી ચીજ છે. ૧૭–૧૮ ગાથામાં
પ્રતિભાસ હોય એનો આવિર્ભાવ હોય, પ્રતિભાસ હોય એનો તિરોભાવ પણ હોય. પ્રતિભાસ તો છે શાયકનો જ્ઞાનની પર્યાયમાં, અભવીની પર્યાયમાં પણ; આહા ! પણ એને દ્રવ્યસ્વભાવ દૃષ્ટિમાં આવતો નથી. માટે જ્ઞાયકભાવ તિરોભૂત થઈ ગયો છે. ૧૧ મી ગાથામાં દ્રવ્યને તિરોભૂત લખ્યું અને પંદરમી ગાથામાં જ્ઞાન તિરોભૂત થઈ ગયું છે એમ લખ્યું છે. શું કહ્યું? ૧૧ મી ગાથામાં એમ કહ્યું છે કે : એને દૃષ્ટિમાં દ્રવ્ય આવતું નથી. એટલે એને દૃષ્ટિમાં દ્રવ્ય નથી આવતું –સામાન્ય તત્ત્વ તેથી તેને તિરોભૂત થઈ ગયું પણ પણ અભાવ નથી થયો. અભાવ થયો હોત તો આવિર્ભાવ ન થાત. તિરોભાવ થયો માટે આવિર્ભાવ થઈ શકે છે સમ્યગ્દર્શનના કાળમાં.
દેખાતો નથી ને? છે ખરો આત્મા, બધાને આત્મા દેખાય છે પણ દેખતો નથી. દેખાઈ તો રહ્યો છે પણ એને દેખતો નથી. આમ, (ના... ના ) આમ (૫૨ સન્મુખ ) કરે છે. આમ ( અંતરંગ ) કરતો નથી માટે ૧૧ મી ગાથામાં દ્રવ્ય સ્વભાવ તિરોભૂત કહ્યો, અને ૧૫મી ગાથામાં જ્ઞાન તિરોભૂત થાય છે. શૈયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય ત્યારે સામાન્ય જ્ઞાનનો (પર્યાયનો ) તિરોભાવ થાય પણ અભાવ થતો નથી. કેમકે એ જ્ઞાનમાં પ્રતિભાસ ચાલુ છે. અભાવ થાય તો અનુભવ ન થાય. તિરોભાવ થાય છે માટે આવિર્ભાવ થઈને અનુભવ થઈ જાય છે. આ તો મોટા દિવસો છે ને? આરાધનાના દિવસો છે. જુઓને (મુમુક્ષુ ) ક્યાંથી અગવડ સગવડ વેઠીને આવ્યા છે.
નયાતિક્રાંત થયા પહેલાં નયોનો જ્ઞાતા થઈ શકતો નથી. પણ નય વિકલ્પોની કર્તબુદ્ધિ રહી જાય છે. જીવો પ્રમાણની અધિક્તામાં અટકી જાય છે. પ્રમાણનો પક્ષ છે ને એટલે નયનો પક્ષ રહી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com