________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૦૮ જ્ઞાનનું ઝેય છે, શ્રદ્ધાનું શ્રદ્ધેય નથી. એટલે બે નયોના આશ્રયે શ્રદ્ધા પ્રગટ થતી નથી.
એટલે બે નયોનો પક્ષ છોડી ત્રિકાળી નિરપેક્ષ સ્વભાવનું અવલંબન લેતા શ્રદ્ધા સમ્યફ થાય છે. કારણ કે શ્રદ્ધા એકાંતિક જ હોય છે. એમાં અનેકાંત નથી. કેમ કે શ્રદ્ધાનો પર્યાય નિર્વિકલ્પ છે. જયારે જ્ઞાનનો પર્યાય સવિકલ્પ છે. સવિકલ્પ હોવાથી એમાં નય પરસ્પર સાપેક્ષ હોય, પણ શ્રદ્ધાનો પર્યાય તો સ્વભાવથી જ નિર્વિકલ્પ છે. ભેદભેદને વિષય કરતી નથી.
એટલે બે નયોના પક્ષ છોડી ત્રિકાળ નિરપેક્ષ સ્વભાવનું અવલંબન લેતાં શ્રદ્ધા સમ્યક થાય છે. કારણકે શ્રદ્ધા એકાંતિક જ હોય છે. અને શ્રદ્ધા સમ્યક થતાં જ્ઞાન સમ્યક થાય છે અને સમ્યજ્ઞાન સ્વભાવથી અનેકાંતિક હોવાથી બે નયોના વિષયને, જેમ છે તેમ પક્ષપાત રહિત જાણે છે.
અનુભવ થયો તો ... સમ્યક જ્ઞાન તો જેમ છે તેમ સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંતને જાણે છે તેમાં એને નયોના વિકલ્પની કોઈ જરૂર નથી. આ રીતે જ્ઞાની બે નયોનો જ્ઞાતા છે. પણ અજ્ઞાની બે નયોના વિકલ્પનો કર્તા છે. એક જ્ઞાતા છે એ જ્ઞાતા છે અને બીજો કર્તા છે. આ અહીંયાં પાંચ મહાવ્રત અને શુભરાગ વાત નથી. ઇન્દ્રિયજ્ઞાનમાનસિકજ્ઞાન જે ઊભું થાય છે એનો આ કર્તા થઈ ગયો. એક બે નયનો જ્ઞાતા છે અને એક બે નયના વિકલ્પનો કર્તા બની ગયો અનંતકાળથી. આ રીતે બે નયો નો કર્તા બની ગયો છે, જ્ઞાતા છે નહીં. બે નયોના વિકલ્પનો કર્તા છે પણ જ્ઞાતા છે નહીં.
જ્ઞાયકનો જ્ઞાતા થયા સિવાય બે નયનો જ્ઞાતા થાય ક્યાંથી ? માટે અજ્ઞાનીએ પ્રાથમિક શરૂઆતમાં પ્રમાણનયથી અભ્યાસ કર્યા પછી, પહેલાં અભ્યાસના કાળક્રમમાં નયનું અવલંબન હેય, પ્રમાણનું અવલંબન પણ લ્ય. પ્રમાણથી વસ્તુ દ્રવ્યપર્યાય સ્વરૂ છે. નયથી દ્રવ્ય (સ્વરૂપ કવું છે?) આવું છે... પર્યાય આવું છે, એમ જાણવાનો પ્રયોગ કરે. નય જાણવાનું સાધન છે. (હવે) અભ્યાસ કર્યા પછી... દ્રવ્ય સ્વભાવને સ્વભાવથી જ અને પર્યાય સ્વભાવને સ્વભાવથી જ જોવાનો અભ્યાસ કરવો જોઈએ. નયોનો સારો છોડી દેવો જોઈએ. અનુભવનો કાળ જયારે આવે છે ત્યારે નયોના વિકલ્પ પણ શાંત થતા જાય છે.
હું તો જાણનાર ને. એ વખતે નયનો પ્રયોગ કરતો નથી. કે કઈ નયથી જાણનારો છું? નય યાદ જ ન આવે. હું તો સ્વભાવથી જ જ્ઞાતા છું ને? એમાં નયની જરૂર નથી. “ જાણનારો જ જણાય છે, ' કઈ નથી ? સ્વભાવથી જ. સ્વભાવથી જ જાણનારો જણાય છે. ૧૭–૧૮ મી ગાથામાં આચાર્ય ભગવાન એમ કહ્યું છે કે આબાળગોપાળ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. એમાં નયનો પ્રયોગ કર્યો નથી. એ સ્વભાવની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com