________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૦૭ પ્રશ્ન:- અનુભવ સાપેક્ષ છે કે નિરપેક્ષ?
ઉતર- એ. એ ખબર નથી સાપેક્ષ નયા સમ્યક્ર” હોવાથી નિશ્ચયનયે અકર્તા છું તો વ્યવહારનયે કર્તા છું એમ લેવાથી નયજ્ઞાન તો સમ્યક્ થઈ ગયું. સમ્યફ એટલે સાચું સમ્યગ્દર્શન નહીં. સમ્યક એટલે જેવું સ્વરૂપ છે. નિશ્ચયનયે અકર્તા અને વ્યવહાર કર્તા એમ જે આગમનું વચન છે એ વાત સાચી છે. તે વાત-કથન સાચું છે. એમ લેવામાં નયજ્ઞાન તો સમ્યક્ થઈ ગયું એટલે સાચું છે એમ. પરંતુ સાપેક્ષતામાં આવવાના કારણે અર્થાત્ નયજ્ઞાનમાં આવવાના કારણે, નિરપેક્ષ સ્વભાવ દૂર થઈ ગયો. સ્વભાવથી તો નિરપેક્ષ છે. સાપેક્ષતાના લોભમાં “નિરપેક્ષ નયા તો મિથ્યાનય' એ તો ખોટું છે તન, અમે તો જૈન છીએ બે નયને માનનારા પરસ્પરસાપેક્ષ બે નય છે. નિશ્ચયે અકર્તા અને વ્યવહાર કર્તા બે નય લગાડી, અકર્તામાં એક નિશ્ચયનય લગાડી અને કર્તામાં બીજી વ્યવહારનય લગાડી, પરંતુ સાપેક્ષતામાં આવવાને કારણે અર્થાત્ નયજ્ઞાનમાં આવવાના કારણે નિરપેક્ષ સ્વભાવથી દૂર થઈ ગયો અને નયના વિકલ્પમાં રહી ગયો. નયજ્ઞાન છૂટયું નહીં. વિકલ્પ છૂટ્યો નહીં. નયજ્ઞાનથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી, અનુમાન થાય પણ એમાં અનુભવ ન થાય.
અનુભવથી ધર્મની શરૂઆત થાય છે. ધર્મની શરૂઆત અનુભવથી છે. એમાં આ નયોનું સ્વરૂપ ખ્યાલમાં ન આવે તો ગભરાવું નહીં. બહેનો-ભાઈઓ એ સમજી ગયા. નયનું જ્ઞાન ન હોય તો હું તો જાણનાર છું. જાણનાર જ જણાય છે એમાં અનુભવ થઈ જાય છે. અનુભવ થાય, મોટી વાત નથી. નયોના-જ્ઞાનના ચકરાવામાં જે અટકી ગયા છે એને માટે આ છે.
નયજ્ઞાનથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી કેમ કે સ્વભાવ, સ્વભાવથી જ નિરપેક્ષ છે. સ્વભાવ સ્વભાવથી જ નિરપેક્ષ છે. સાપેક્ષ છે જ નહીં. નયને સમ્યક-સાચી કરવા ગયો તો સ્વભાવથી દૂર થઈ ગયો અને સ્વભાવમાં આવ્યો તો નયપક્ષ સ્વયં સહજ અસ્ત પામી જાય છે.
નયનું પ્રતિપાદન સરખું કરવા સાપેક્ષથી વાત કરવી જોઈએ. નહીં તો એકાંત થઈ જાય અને સાપેક્ષ કરવા જતાં આત્માનો અનુભવ ન થાય. કારણ કે નિશ્ચયનયથી આત્મા અકર્તા છે એમ કહેતા, કહ્યા વગર પણ નય લગાડી ને? નિશ્ચયનયથી અકર્તા કહેવાની જરૂર નથી, વ્યવહારનયે કર્તા એમ આવી જાય. કર્તાનો જ્ઞાતા ન થાય એમ કહેતા કહ્યા વગર પણ વ્યવહારનયે કર્તા છે. એમાં આવી જાય; આમ સાપેક્ષ સિદ્ધ કરવામાં પણ જીવ નયાતિક્રાંત થતો નથી કારણ કે ત્રિકાળી વસ્તુ કે જે શ્રદ્ધાનો વિષય છે, એ સાપેક્ષ નથી એ તો નિરપેક્ષ જ છે.
બે નયોનો વિષય તો જ્ઞાનનું જ્ઞય છે. બે નયોનો વિષય છે જે પ્રમાણજ્ઞાનનો એ તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com