________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૦૬ વિશેષ અપેક્ષા વિના કોઈ નય પ્રયોગ થઈ શકતો જ નથી. સાપેક્ષ વિના નયનો પ્રયોગ થઈ શકતો નથી.
નય પ્રયોગમાં વિશેષ અપેક્ષા અને પ્રતિપક્ષ નયની સાપેક્ષતા આવશ્યક છે. તેથી છેદનક્રિયામાં ફરસીની જેમ નય સ્વતંત્ર નથી. પરંતુ વિવિક્ષા અને પ્રતિપક્ષ નયથી તે પરતંત્ર છે. આ જૈન દર્શન છે. આત્મા સૂક્ષ્મ છે, નયજ્ઞાન સ્થળ છે. અતીન્દ્રિજ્ઞાન સૂક્ષ્મ છે તે અતીન્દ્રિયજ્ઞાનથી આત્મા ગ્રાહ્ય થાય છે. નયજ્ઞાન તો સ્થૂળ છે. નયજ્ઞાનથી આત્માનો અનુભવ ન થઈ શકે. પરંતુ વિવિક્ષા અને પ્રતિપક્ષ નયથી તે પરતંત્ર છે. જે નય અપેક્ષા વિના અને પ્રતિપક્ષ નયની સાપેક્ષતા વિના પ્રયુક્ત થાય છે. કહેવામાં આવે છે તેને નય જ ન કહેવો જોઈએ. એ તો મિથ્યાનય થઈ ગયો.
હવે એ મિથ્યાનય થવાના ભયથી સાપેક્ષમાં અટકી જાય છે. નય સાપેક્ષ હોય છે તો એ જૈન મત બરોબર સાચો છે. અને એક નયને આમ કહેવા જાય તો નિરપેક્ષ નય. તો તો તે મિથ્યાનય થઈ જાય છે. પણ એ એમાં ને એમાં ચકરાવામાં રહ્યો, પરંતુ વિવિક્ષા અને પ્રતિપક્ષ નયથી જે પરંતત્ર છે જે નય અપેક્ષા વિના અને પ્રતિપક્ષ નયની સાપેક્ષતા વિના પ્રયુક્ત થાય છે, કહેવામાં આવે છે, રજૂઆત થાય છે તેને નય જ કહેવો ન જોઈએ અથવા મિથ્યાનય કહેવો જોઈએ. “નિરપેક્ષ નય મિથ્યાનય.' નય સાપેક્ષ જ હોય. નય નિરપેક્ષ ન હોય અર્થાત્ નય સાપેક્ષ જ હોય. નય નિરપેક્ષ ન હોય.
અને અનુભવ નિરપેક્ષ જ હોય એ સાપેક્ષ હોય જ નહીં. અને સ્વભાવ નિરપેક્ષ જ હોય. જો આવ્યું! સાપેક્ષ હોય નહીં. એટલે સાપેક્ષ નયથી નિરપેક્ષ સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. સાપેક્ષ નયથી આ આત્માનો સ્વભાવ જે નિરપેક્ષ છે. એ નયથી એની પ્રાપ્તિ થતી નથી. નયજ્ઞાન અમુક હદ સુધી એને પહોંચાડે છે. પણ અનુભવનો કાળ આવે છે ત્યારે ત્યાં ચાલી જાય છે. નયો રહેતી નથી. આ રીતે નય સાપેક્ષ જ હોય કેમ કે “ નિરપેક્ષ નયા મિથ્યા” એવું શાસ્ત્રનું વચન છે.
માટે નિશ્ચયનયથી હું અકર્તા છું-એમ, જો નય લગાડી પણ સ્વભાવથી અકર્તા છું તેમ ન આવ્યું. પણ નિશ્ચયનયે અકર્તા છું એ તો શાસ્ત્રમાં આવે છે! પણ આવે એની
ક્યાં ના પાડીએ છીએ અમે અહાહા! નિશ્ચયનયથી હું અકર્તા છું એમ એક નયનો જ પક્ષ કરે તો એ મિથ્યા એકાંત થઈ ગયું, માટે “સાપેક્ષ નયા સમ્યક્ર” હોવાથી નિશ્ચયનયથી હું અકર્તા છું તો વ્યવહાર કર્તા છું. એમાં સાપેક્ષમાં એ આવ્યો. ઓલામાં નિરપેક્ષનો દોષ આવતો હતો, અન્યમતી થઈ જતો હતો, હવે જૈન મતમાં આવ્યો. નય તો સાપેક્ષ જ હોય. બધાય “હા” પાડે, શાસ્ત્રનું વચન છે; નય સાપેક્ષ જ હોય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com