________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૦૫ સંગ્નિ પંચેન્દ્રિય હેય એને પણ થાય. સિંહ મહરાજાને થયું હતું ને મહાવીર ભગવાનના જીવને.
નય અશંગ્રાહી છે. નય વડે જાણવાથી એક અંશને-ધર્મને જાણે છે, બાકીના ધર્મોને જાણવાનું બાકી રહી જાય છે. એટલે જ્ઞાનને વિષયનો પ્રતિબંધ થઈ ગયો. એક ધર્મને જાણ્યો અને બાકીના ધર્મો જાણવાના રહી ગયા એટલે જાણવાની ઈચ્છા થયા વિના રહેતી નથી. ઈચ્છાનો નિરોધ ક્યારે થાય? કે આત્માને અતીન્દ્રિય જ્ઞાન વડે જાણતાં, આત્મામાં અનંત ધર્મો છે તે બધા એક સમયમાં યુગપદ્ અક્રમે જણાઈ જાય છે. એટલે જ્ઞાનને વિષયનો પ્રતિબંધ થાય છે. એક ધર્મને જાણે તો બીજા ધર્મો રહી જાય છે જાણવાના. અહાહા! વિષયનો પ્રતિબંધ થતાં તેને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થતાં આકુળતા થાય છે. એક ધર્મને જાણે અને બીજા ધર્મને જાણી ન શકે તો આનું તો શું છે? આનું શું છે? એમ અંદર આવ્યા જ કરે.
નિર્વિકલ્પ અતીન્દ્રિયજ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરતાં એ જ્ઞાન સવિકલ્પ હોવાથી આધુ! સવિકલ્પ એટલે ભદાભદને બરોબર જાણે, જેમ છે એમ જાણે. સવિકલ્પ એટલે રાગ નીં. ઈન્દ્રિયજ્ઞાન નહીં, સ્વભાવથી જ કેવળજ્ઞાનની પર્યાય પણ સવિલ્પ છે. એમ શ્રુતજ્ઞાન અતીન્દ્રિયજ્ઞાન પણ સવિકલ્પ છે. તે જ્ઞાન સવિકલ્પ હોવાથી અને તેનું સામર્થ્ય સર્વગ્રાહી હોવાથી અતીન્દ્રિય જ્ઞાનનું સામર્થ્ય સર્વ ધર્મોને અક્રમેયુગપ એક સમયમાં જાણે છે. સર્વગ્રાહી લેવાથી અમે યુગપદ્ બધા ધર્મો એક સમયમાં જાણવામાં આવે.
આ તો બે પાંચ દસ વખત વાંચે ને ત્યારે તો હુજી કાંઈક મગજમાં આવે કે આ શું છે!!
કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. એટલે ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એટલે નિરાકુળ આનંદનો અનુભવ થાય છે. આ રીતે સ્વભાવની પ્રાપ્તિની રીત નયોથી જુદી છે. સ્વભાવ પ્રાપ્ત કરવો હોય તો નથી થતો નથી.
આ ચર્ચામાં ખાસ વાત એ છે કે નયથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. કેમકે નય સાપેક્ષ હોય છે. એના આધાર રૂપે પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા ૫૧૫માં સ્પષ્ટ કહ્યું છે કે જેમ છેદન ક્રિયાનું કારણ એવી ફરસી છેદન ક્રિયા કરવામાં સ્વતંત્ર રીતે ચલાવવામાં આવે છે એવી રીતે નય સ્વતંત્ર રીતે વસ્તુને કોઈ ધર્મથી વિશિષ્ટ સમજતો ય નથી અને કહેતો ય નથી.
ફરસી ચલાવવામાં એ જરૂરતું નથી કે તે તો કોઈ બીજા હથિયારની અપેક્ષા રાખીને કોઈ બીજા હથિયારની એને જરૂર નથી. એ એનાથી જ કાપી શકે છે. કોઈ બીજા હથિયારની અપેક્ષા ન રાખીને એ છેદન પ્રક્રિયા કરે. પરંતુ નયનો પ્રયોગ સ્વતંત્ર થઈ શકતો નથી. એક નયથી આવો તો બીજો નયથી એને અપેક્ષા આવી જ જાય, કહ્યા વગર અપેક્ષા આવી જ જાય. કોઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com